રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત અચાનક બગડી છે.
ગત અઠવાડિયે રાજસ્થાન હાઈકોર્ટ જોધપુરમાં આસારામની સુનવણી થવાની હતી
મહાત્મા ગાંધી હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા
બીપીની સમસ્યા હતી અને સાથે ગૂંગળામણ થઈ રહી હતી.
મહાત્મા ગાંધી હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા
આસારામની મંગળવારે રાતે જેલમાં અચાનક બગડી ગઈ. જેના કારણે આસારામને ગભરામણ થઈ રહ્યું હતુ તો પહેલા જેલની ડિસ્પેન્સરીમાં એક કલાક સુધી પ્રાથમિક ઉપચાર આપવામાં આવી. તે બાદ મહાત્મા ગાંધી હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં આસારામે પોતે જણાવ્યું કે તેમના ઘૂંટણો કામ નથી કરી રહ્યા. બીપીની સમસ્યા હતી અને સાથે ગૂંગળામણ થઈ રહી હતી.
તેનો ઈજીસી રિપોર્ટ નોર્મલ આવ્યો
આ ઉપરાંત આસારામને પ્રોસ્ટેટની સમસ્યા થઈ. જ્યારે આસારામને ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા તો કેટલાક ભક્તો પણ ત્યાં પહોંચી ગયા હતા. જેમને પોલીસે બહાર કાઢ્યા હતા. આસારામને લગભગ પૂરા સમય એક્સ રે રુમમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. તેમજ કાર્ડિયોલોજીના ડોક્ટરને બોલાવ્યા. એક્સ-રે બાદ આસારામનું સીટી સ્કેનિંગ થયું. તેનો ઈજીસી રિપોર્ટ નોર્મલ આવ્યો.
ગત અઠવાડિયે રાજસ્થાન હાઈકોર્ટ જોધપુરમાં આસારામની સુનવણી થવાની હતી
આ બાદ મહાત્મા ગાંધી હોસ્પિટલથી મથુરાદાસ માથુર હોસ્પિટલના સીસીયૂ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે સેક્સ્યૂઅલ હરેસમેન્ટના કેસમાં ગત અઠવાડિયે રાજસ્થાન હાઈકોર્ટ જોધપુરમાં આસારામની સુનવણી થવાની હતી. પરંતુ આસારામ તરફથી વકીલને મુંબઈથી આવવાનું હતુ. પરંતુ તે નહોંતા પહોંચ્યા. તેવામાં વકીલો સુનવણી ટાળવાની અપીલ કરી હતી. હવે 8 માર્ચે અપીલ પર સુનવણી થશે. આસારામને કોર્ટે આજીવનની સજા સંભળાવી છે.
જાણો આસારામ પર કેટલા કેસ છે
વર્ષ 2013માં એક સગીરાને જોધપુર નજીક મનાઈ આશ્રમમાં આસારામ પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો હતો. જે બાદ 31 ઓગસ્ટ 2013માં આસારામને મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ઝડપ્યો હતો. આસારામ પર પોક્સો, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, રેપ, ગુનાહિત ષડયંત્ર અને બીજા અનેક મામલા હેઠળ કેસ દાખલ છે. એ બાદ એપ્રિલ 2018માં જોધપુર સ્પેશિયલ કોર્ટે આસારામને એક સગીરાની સાથે બળાત્કારના ગુનામાં ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. કોર્ટે આસારામને પોક્સોના કાયદા હેઠળ આજીવન જેલ અને 1 લાખનો દંડ ફટકાર્યો હતો.