કોરોના વાયરસની મહામારીને પગલે દેશની કેટલીક જેલોમાંથી કેટલાક ગૂનેગારોને પેરોલ પર મુક્ત કરવાની કવાયત ચાલી રહી છે. જોકે, ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના આરોપી આસારામને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી છે.
સરકાર સૌથી પહેલા ખોટી રીતે દોષિત આસારામ બાપૂને મુક્ત કરે : સુબ્રમણ્યમ સ્વામી
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને જેલમાં ભીડને કારણે કેટલાક ગૂનેગારોને છોડવાની સલાહ આપી હતી
ભાજપ સાંસદે ટ્વીટ કરી કહ્યું કે જો સજા કાપી રહેલા ગૂનેગારોને છોડવામાં આવી રહ્યા છે તો સરકારે સૌથી પહેલા ખોટી રીતે દોષિત કરાર 85 વર્ષના વૃદ્ધ અને બીમાર આસારામ બાપૂને મુક્ત કરવા જોઇએ. આ પહેલા આસારામના ઘણા સમર્થક પણ સોશિયલ મીડિયા પર આસારામની મુક્તીની અપીલ કરી ચૂક્યા છે.
હાલ આસારામ જોધપુરની જેલમાં બંધ છે. કેટલીક મીડિયા રિપોર્ટના હવાલાથી સમાચાર મળ્યા હતા કે કોરોનાના બહાને ખુદને પેરોલ પર છોડવાની માંગને લઇને આસારામે જેલમાં ભૂખ હડતાળ પણ કરી હતી.
આ પહેલા સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા કોરોના વાયરસના ખતરાને લઇને જેલોની વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે ક્ષમતાથી વધારે ગૂનેગારોને જેલમાં રાખવા પર રાજ્ય સરકારોને કેટલાક ગૂનેગારોને છોડવાની સલાહ આપી હતી. સુપ્રીમ કોર્ટની સલાહ પર અમલ કરતા ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ગૂનેગારોને છોડવાની કવાયત ચાલી રહી છે.