જોધપુરઃ આસારામ બાપુ પર સગીર કેસમાં જોધપુર કોર્ટે આજે ચુકાદો સંભળાવી દીધો છે. બળાત્કારનાં કેસમાં જોધપુર કોર્ટે આસારામ બાપુને આજીવન કેદની એટલે કે ઉંમર કેદની સજા ફટકારી છે. આસારામ બાપુને ઉંમરકેદની સજા સંભળાવી દેવામાં આવી છે.
થોડીક ક્ષણો પહેલાં કોર્ટ પરિસરમાં હાસ્ય કરી રહેલા આસારામ બાપુને આજીવન કારાવાસની સજા સંભળાવતા તે રડી પડ્યો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ શિલ્પી અને શરતચંદ્રને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે શિવા અને રસોઇયા પ્રકાશને મુક્ત કરવામાં આવ્યાં છે. જો કે આ સજા સંભળાવતાં જ આસારામનાં સાધકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જોધપુર સેન્ટ્રલ જેલ ખાતેની એસસી-એસટી કોર્ટનાં ન્યાયાધીશ જસ્ટિસ મધુસૂદન શર્માએ સગીરા સાથે બળાત્કારનાં કેસમાં આસારામને દોષિત ઠેરવ્યો છે. જોધપુર કોર્ટે પોતાનાં ઐતિહાસિક ચુકાદામાં એવું માન્યું છે કે આસારામ પોતે એક બળાત્કારી છે. આસારામ સિવાય જોધપુર કોર્ટે અન્ય બે આરોપીઓમાં શિલ્પી અને શરતચંદ્રને પણ દોષિત ઠેરવ્યાં છે.
અન્ય બે સહ આરોપીઓ શિવા અને પ્રકાશને કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધાં છે. POCSO Act હેઠળ આસારામને આજીવન કેદની સજા સંભળાવાઇ છે. એટલે કે કાયદા પ્રમાણે આપણે જોઇએ તો આસારામની હાલમાં વય 77 વર્ષની છે અને તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે પરંતુ તેઓને સરકાર ઇચ્છે તો આસારામને જેલમાં 14 વર્ષ રહ્યાં બાદ માફી આપી શકે છે.
એટલે કે આસારામની હાલની ઉંમર 77 વર્ષની છે અને તે જેલમાં 4 વર્ષ ને 7 મહિનાની સજા ભોગવી ચૂકેલ છે એટલે આસારામની સજામાં 14 વર્ષમાંથી 4 વર્ષ બાદ કરતા તે 10 વર્ષ થઇ જાય છે.
એટલે કે સરકાર 14 વર્ષ પછી ચાહે તો આસારામને સજામાં માફી આપી શકે છે. એટલે કે આસારામની હાલની ઉંમર 77 વર્ષ છે એટલે કે તેમાં 10 વર્ષ ઉમેરતા આસારામને 87 વર્ષ સુધી તો ચોક્કસથી જેલમાં રહેવું પડશે. ત્યાર બાદ સરકાર ઇચ્છે તો તેને જેલની સજામાં માફી આપી શકે છે.
મહત્વની બાબત એ પણ છે કે આ કેસમાં આસારામ ઇચ્છે તો સેસન્સ કોર્ટનાં આ ચુકાદાને તે હાઈકોર્ટમાં પડકારી શકે છે. જો કે એવું પણ બની શકે કે હાઈકોર્ટ સેસન્સનાં આ ચુકાદાને માન્ય પણ રાખે અથવા બદલી પણ શકે.
આસારામને જામીન આપવા કે નહીં તે પણ હાઈકોર્ટ જ નક્કી કરશે. આ ચુકાદા મામલે ફેરબદલ કરવાનો નિર્ણય પણ હાઈકોર્ટ જ કરશે. મહત્વનું છે કે આસારામનાં આ ચુકાદાને લઇ તેનાં સમર્થકો તોફાન ન કરે એટલાં માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવેલ છે.