સસ્પેન્સ વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ ચાલુ છે. એક તરફ જ્યાં મનસેના વડા રાજ ઠાકરે એનસીપી અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લીધી હતી અને તેઓને મળ્યા હતા, બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે ભાજપ વિના પણ સરકાર બનાવવાના આંકડા શિવસેના પાસે છે.
સરકાર બનાવવાને લઇ મહારાષ્ટ્રમાં ઘમાસાણ
ઓવૈસીએ ઉદ્ધવ ઠાકરેને માર્યો ટોણો
50-50 ફોર્મ્યુલા પર સાધ્યું નિશાન
દરમિયાન, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના રાજકારણ પર કટાક્ષ કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે બે ઘોડા પર સવારી કરવા માગે છે. જનતાને મૂર્ખ બનાવશો નહીં.
50-50 ફોર્મ્યુલા પર સાધ્યું નિશાન
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ ઇચ્છે છે તો બે ઘોડાઓ ચલાવી શકતા નથી. લાગે છે કે ઉદ્ધવ ઠાકરે પ્રધાન મંત્રી મોદીથી ગભરાયેલા છે. તે જ સમયે, AIMIM અધ્યક્ષે શિવસેના-ભાજપ જોડાણના અઢી વર્ષના મુખ્યમંત્રી પદના મામલા પર પણ નિશાન શાધ્યું હતું. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ શું છે 50-50 ? નવો કોઇ બિસ્કીટ છે. તેમણે કહ્યું કે એઆઈએમઆઈએમ ન તો શિવસેનાને સમર્થન આપશે કે ન તો ભાજપને સમર્થન આપશે.
50-50 ફોર્મ્યુલા માટે ભાજપે ફેરવી તોળ્યું
A Owaisi:What is this 50-50,is this a new biscuit?How much 50-50 will you do?Save something for Maharashtra's public.They (BJP&Shiv Sena) are not bothered about the destruction rain has caused in Satara. All they talk about is 50-50.What kind of 'Sabka Sath Sabka Vikas' is this? pic.twitter.com/Ct4DFRLnDp
નોંધપાત્ર વાત એ છે કે ચૂંટણીના પરિણામો મળ્યાને ઘણા દિવસો વીતી ગયા છે, પરંતુ હજી પણ મહારાષ્ટ્રમાં સરકાર રચાય તેમ લાગતું નથી. ખરેખર, શિવસેના અને ભાજપ હવે વિસામણમાં ગયા છે. શિવસેના મક્કમ છે કે 50-50 ફોર્મ્યુલા અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું, હવે તે મુજબ આગળ વધવું જોઈએ. જોકે, આ અંગે ભાજપ તૈયાર નથી.
સામના ભાજપ પર પ્રહાર
સામનાએ લખ્યું, 'મહારાષ્ટ્રનું રાજકારણ હમણાં એક મનોરંજક શોભાયાત્રા બની ગયું છે. જો મહારાષ્ટ્રમાં શિવરાયની આવી મનોરંજક શોભાયાત્રા નીકળશે તો તેના માટે જવાબદાર કોણ હશે? હાલનો ઝમેલા 'શિવશાહી' નથી. રાજ્યની સરકાર નહીં, પરંતુ વિદાય લેતી સરકારના બુઝાયેલ આગિયા રોજ નવી મજાક કરીને મહારાષ્ટ્રને મુશ્કેલીમાં મુકી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ભાજપના નેતાએ કરી વાત
ધમકી અને તપાસ એજન્સીનું દબાણનું કોઇ પરિણામ નહીં મળતા વિદાય થતી સરકારના નાણામંત્રી સુધીર મુનગંટીવારે નવી ધમકી આપી છે. 7 નવેમ્બર સુધી સત્તાનું કોકડું ન ઉકેલાય તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવશે.
ભાજપ પર આકરા પ્રહાર
વધુમાં લખાયું છે કે, શ્રી મુનગંટી અને તેમની પાર્ટીના મનમાં શું ઝહેર ઘોળાઇ રહ્યું છે તે હાલ કહેવું અને સમજવું મુશ્કેલ છે. કાયદો અને સંવિધાનનો અભ્યાસ ઓછો હોય તે આવું જ થાય અથવા કાયદો અને સંવિધાને દબાવીને જે જોઇએ તની પાછળ અલગ નીતિ હોઇ શકે છે.