ગુજરાતમાં થયેલી હિંસા મુદ્દે ઓવૈસીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે હિંસા મુદ્દે રાજ્ય સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ. હિંસા થવી ન થવી એ રાજ્ય સરકારના હાથમાં હોય છે.
ગુજરાતમાં થયેલી હિંસા મુદ્દે ઓવૈસીના રાજ્ય સરકાર પર પ્રહાર
હિંસા મુદ્દે રાજ્ય સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ: ઓવૈસી
પૂર્વ નિયોજિત હતો શોભાયાત્રા પર હુમલો
હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પ્રહાર કરતા કહ્યું કે, જો ક્યાંય હિંસા થઇ જાય છે તો તે યોગ્ય નથી. પણ જો હિંસા ભડકે છે તો જવાબદારી રાજ્ય સરકાર પર છે. છેલ્લા 20-25 વર્ષની તપાસ આયોગનો રિપોર્ટ કહે છે કે જો રાજ્ય સરકાર ન ઇચ્છે તો હિંસા ન ફેલાત. મારું માનવું છે કે આ રાજ્ય સરકારની જવાબદારી છે. સરકાર કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવામાં નિષ્ફળ રહી. અમે ઇચ્છીએ છીએ કે આ મુદ્દે ધરપકડ થાય અને યોગ્ય તપાસની સાથે કાર્યવાહી કરવામાં આવે.
પૂર્વ નિયોજિત હતો શોભાયાત્રા પર હુમલો
રામનવમી પર આણંદના ખંભાતમાં નિકળી ગઈ શોભાયાત્રા પર હુમલો પૂર્વ નિયોજિત હતો. પોલીસે ત્રણ મૌલવીઓની ધરપકડ કરી હતી. જેના પર હુમલા માટે ષડયંત્રની સાથે ધન એકઠુ કરવાનો આરોપ છે. તો બીજી તરફ હિંમતનગરમાં હિંસાને લઇને કેટલાક લોકો પલાયન કરી રહ્યા છે.
મોહન ભાગવતને અખંડ ભારતની વાત ન કરવી જોઈએઃ ઓવૈસી
વધુમાં RSS વડા મોહન ભાગવતની અખંડ ભારતની વાત પર અસદુદ્દીન ઓવૈસીએ જવાબ આપ્યો છે. ઓવૈસીએ કહ્યું કે, મોહન ભાગવતને અખંડ ભારતની વાત ન કરવી જોઈએ. ચીને ભારતના અનેક વિસ્તારો પર કબજો કર્યો છે. પહેલા ચીનને સીમામાંથી હટાવો પછી અખંડ ભારતની વાત કરજો.
15 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બનશે: મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સર સંઘચાલક મોહન ભાગવતે હરિદ્રારમાં કહ્યું કે, 'સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. 15 વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બનશે અને અમે આ બધું પોતાની આંખોથી જોઈશું. ભારત સતત પ્રગતિ પથ પર આગળ વધી રહ્યો છે અને જે પણ તેના રસ્તે આવશે તે ખતમ થઇ જશે.'