AIMIM ચીફ અસાદુદ્દીન ઓવૈસીએ સંઘ પ્રમુખ મોહન ભાગવતના એક દિવસ પહેલાના લિંચિંગ પરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સામો સવાલ કર્યો છે.
લિંચિગ અને રાજનીતિ પરની મોહન ભાગવતની ટીપ્પણીનો મામલો
AIMIM ચીફ અસાદુદ્દીન ઓવૈસીએ ભાગવતને સામો સવાલ કર્યો
શું કટ્ટરપંથ માટે RSS અને હિંદુત્વની વિચારધારા જવાબદાર નથી ?
બસપા અધ્યક્ષ માયાવતીએ પણ મોહન ભાગવત પર સાધ્યું નિશાન
અસાદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું તેમને પૂછવા માંગું છું કે શું તેમણે સ્વીકાર કર્યો છે કે આરએસએસ અને હિંદુત્વની વિચારધારાને કારણે બહુમતી સમૂદાયનું કટ્ટરપંથીકરણ કરાયું છે. શું કટ્ટરપંથ માટે આરએસએસ અને હિંદુત્વની વિચારધારા જવાબદાર નથી.
Delhi | I want to ask him (Mohan Bhagwat) if he has accepted that the majority community has been radicalized due to RSS & Hindutva ideology? Is RSS & Hindutva ideology not responsible for radicalization?: AIMIM chief Asaduddin Owaisi on RSS Chief Bhagwat's remark on lynching pic.twitter.com/xhfeC5M8od
હિંદુત્વ એકતાની વાત કરતું નથી-ઓવૈસી
ઓવૈસીએ કહ્યું કે હિંદુત્વ એકતાની વાત કરતું નથી. ભારતનું બંધારણ એકતાની વાત કરે છે, તેમાં સમાવિષ્ટ છે. હિંદુ એક વિશેષ વિચારધારા છે જેનું પાલન આરએસએસ અને મોહન ભાગવત કરી રહ્યાં છે તેમાં એકતા કેવી રીતે હોઈ શકે. ઓવૈસીએ કહ્યું મુસ્લિમો સામેની નફરત હિંદુત્વની દેન છે. મુસલમાનોની સાથે લિંચિંગની ઘટનાઓ ગોડસેની વિચારધારાનું પરિણામે છે.
અખલાકના હત્યારાની લાશ પર તિરંગો લગાડાય છે
ઓવૈસીએ ટ્વિટ કરીને લખ્યું કે કેન્દ્રીય મંત્રીના હાથે અલીમુદ્દીનના કાતિલોની ગુલપોશી કરાય છે. અખલાકના હત્યારાની લાશ પર તિરંગો ઓઢાડવામાં આવે છે. આસિફને મારનારના ટેકામાં મહાપંચાયત બોલાવાય છે. જ્યાં ભાજપના પ્રવક્તા પૂછે છે કે શું અમે મર્ડર પણ ન કરી શકે. કાયરતા, હિંસા અને કતલ કરવી ગોડસેની હિંદુત્વવાળી વિચારધારાનો અતૂટ હિસ્સો છે.
બસપા અધ્યક્ષ માયાવતીએ પણ મોહન ભાગવત પર સાધ્યું નિશાન
બસપા અધ્યક્ષ માયાવતીએ પણ જણાવ્યું કે કેન્દ્ર અને યુપી સહિત દેશના જે પણ રાજ્યોમાં ભાજપની સરકાર ચાલી રહી છે તે ભારતીય બંધારણીય પ્રમાણે ચાલવાને બદલે મોટાભાગે આરએસએસના એજન્ડા પર ચાલી રહી છે, એ સામાન્ય વાત છે. આરએસએસના સહયોગ અને સમર્થન વગર ભાજપનું કોઈ અસ્તિત્વ જ નથી. તેમ છતાં પણ આરએસએસ ભાજપ અને તેની સરકારો પાસે તેની કહેલી વાતોનો કેમ અમલ કરાવતું નથી.
શું કહ્યું હતું RSS ચીફ મોહન ભાગવતે
મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં RSS ચીફ મોહન ભાગવતે જણાવ્યું કે લિંચિંગ કરનાર હિંદુત્વ વિરોધી છે અને રાજકારણ એકતા ખતમ કરવાનું હથિયાર છે.
તેમણે કહ્યું કે ભારતમાં રહેનાર તમામ લોકોનું ડીએનએ એક છે, ભલેને તે બીજા કોઈ ધર્મના હોય. તેમણે કહ્યું કે હિંદુ-મુસ્લિમ એકતા ભ્રામક છે કારણ કે તે અલગ અલગ નથી પરંતુ એક છે. પૂજા કરવાની રીતને આધારે લોકોમાં ભેદ ન પાડી શકાય. ભાગવતે જણાવ્યું કે એવા કેટલાક કામ છે જે રાજનીતિ કરી શકતી નથી. રાજનીતિ લોકોને એક ન કરી શકે, રાજનીતિ લોકોને એક કરવાનું માધ્યમ ન બની શકે. પરંતુ એકતા ખતમ કરવાનું હથિયાર બની શકે. દેશમાં એકતા વગર વિકાસ સંભવ નથી. એકતાનો આધાર રાષ્ટ્રવાદ અને પૂર્વજોની મહિમા હોવો જોઈએ.