રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત દ્વારા હિંદુત્વ અનેલિચિંગને લઈને અપાયેલા નિવેદન પર નવી ચર્ચા શરૂ થઈ છે. AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે મોહન ભાગવતના નિવેદનને લઈને ટિપ્પણી કરી છે.તેઓએ ટ્વિટ કરીને લખ્યું છે કે આ નફરત હિંદુત્વની દેન છે. આ મુઝરિમોને હિન્દુત્વવાદી સરકારની પુશ્ત પનાહી મળેલી છે.
અસદુદ્દીને સતત કર્યા ટ્વિટ
RSS के भागवत ने कहा "लिंचिंग करने वाले हिंदुत्व विरोधी"।इन अपराधियों को गाय और भैंस में फ़र्क़ नहीं पता होगा लेकिन क़त्ल करने के लिए जुनैद, अखलाक़, पहलू, रकबर, अलीमुद्दीन के नाम ही काफी थे।ये नफ़रत हिंदुत्व की देन है, इन मुजरिमों को हिंदुत्ववादी सरकार की पुश्त पनाही हासिल है। 1/3
તેઓએ લખ્યું કે મોહન ભાગવતે કહ્યું છે કે લિચિંગ કરનારા હિન્દુત્વ વિરોધી છે. આ અપરાધીઓને ગાય અને ભેંસનો ફરક ખબર નથી. પણ કતલ કરવા માટે જુનૈદ, અખલાક, પહલૂ, રકબર, અલીમુદ્દીનના નામ પૂરતા હતા. ઓવૈસીએ લખ્યું કે આ નફરત હિન્દુત્વની દેન છે. આ મુઝરિમોને હિન્દુત્વવાદી સરકારની પુશ્ત પનાહી મળેલી છે. કેન્દ્રીય મંત્રીના હાથ અલીમુદ્દીનના કાતિલની ગુલપોશી થઈ જાય છે અખલાકના હત્યારાની લાશ પર તિરંગો લહેરાવવામાં આવે છે. વધુમાં તેઓએ કહ્યું કે આસિફનેમ મારનારાના સમર્થનમાં મહાપંચાયત બોલાવાય છે જ્યાં ભાજપના પ્રવક્તાને પૂછવામાં આવે છે કે શું આપણે મર્ડર ન કરી શકીએ. કાયરતા, હિંસા અને કતલ કરવા ગોડસેની હિંદુત્વ વાળા વિચારનો ભાગ છે, મુસલમાનનોના લિચિંગના વિચારનું પરિણામ છે.
કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પણ કરી ટિપ્પણી
મોહન ભાગવતના નિવેદનને લઈને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પણ ટિપ્પણી કરી છે. તેઓએ લખ્યું કે મોહન ભાગવત તમારો વિચાર શું છે, તમે તમારા શિષ્યો, પ્રચારકો અને વિશ્વ હિંદુ પરિષદ/ બજરંગ દળ કાર્યકર્તાને જણાવો. શું તમે આ શિક્ષા મોદી- શાહજીના ભાજપના મુખ્યમંત્રીને પણ આરશો. તમે તમારા વ્યક્ત કરેલા વિચારો પ્રત્યે ઈમાનદાર છો તો ભાજપમાં તે બધા નેતા જેઓએ નિર્દોષ મુસલમાનોને હેરાન કર્યા છે તેમને તત્કાલ રીતે પદથી હટાવવાના આદેશ આપો. સિંહે લખ્યું કે શરૂઆત નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથથી કરવામાં આવે. મને ખબર છે કે તમે આ નહીં કરો કારણકે કથની અને કરણીમાં અંતર છે. તમે બરોબર કહ્યું છે, આપણે પહેલા ભારતીય છીએ, પણ પોતાના શિષ્યોને સમજાવો. તે મને પાકિસ્તાન જવાની સલાહ આપી ચૂક્યા છે.
यदि आप अपने व्यक्त किए गए विचारों के प्रति ईमानदार हैं तो भाजपा में वे सब नेता जिन्होंने निर्दोष मुसलमानों को प्रताड़ित किया है उन्हें उनके पदों से तत्काल हटाने का निर्देश दें। शुरूआत नरेंद्र मोदी व योगी आदित्यनाथ से करें।
संघ प्रमुख मोहन भागवत बोले- हिंदू और मुस्लिम अलग नहीं, सभी भारतीयों का डीएनए एक है https://t.co/bkfecvXRWE
मोहन भागवत जी यह विचार क्या आप अपने शिष्यों, प्रचारकों, विश्व हिंदू परिषद/ बजरंग दल कार्यकर्ताओं को भी देंगे? क्या यह शिक्षा आप मोदीशाह जी व भाजपा मुख्यमंत्री को भी देंगे?
શું કહ્યુ હતુ મોહન ભાગવતે
રવિવારે એક સમારોહમાં ભાગવતે કહયું હતું કે જો કોઈ હિન્દુ નેતા કહે છે કે મુસલમાન અહીં રહી શકતા નથી તો તે હિંદુ નથી. ગાય એક પવિત્ર પ્રાણી છે પણ તેના નામ પર અન્યને મારવા તે હિન્દુત્વ વિરોધી છે. એવામાં કાયદાને તેનું કામ કરવા દેવું. આ સિવાય મોહન ભાગવતે કહ્યું કે દરેક ભારતીયોના એનડીએ એક છે પછી ભલે તે કોઈ પણ ધર્મના હોય.