AIMIM નેતા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટી- 20 વિશ્વ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની વચ્ચે થનારી મેચ પર સવાલ ઉઠાવ્યા છે.
પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીયોના જીવ સાથે ટી 20 રમી રહ્યું છે- ઓવૈસી
કશ્મીરમાં જવાનો શહીદ થઈ રહ્યા છે સરકાર ટી 20 રમાડી રહી છે -ઓવૈસી
ઓવૈસીએ મોદીનું જૂનુ નિવેદન યાદ કર્યુ
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે એક તરફ જમ્મુ અને કાશ્મીરમાં 9 જવાન શહીદ થઈ રહ્યા છે. બીજી તરફ મોદી સરકાર 24 ઓક્ટોબરે ક્રિકેટ મેચ રમાડી રહી છે. પીએમ મોદીના જૂના નિવેદનોનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું કે શું મોદીજીએ નહોંતું કહ્યું કે ફૌજ મરી રહી છે અને મનમોહન સિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે. હવે 9 સૈનિકો મર્યા અને તે ટી 20 રમશો? પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીયોના જીવ સાથે ટી 20 રમી રહ્યું છે.
અમિત શાહ શું કહી રહ્યા છે?- ઓવૈસી
જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી હત્યા પર ઓવૈસીએ કહ્યું કે કાશ્મીરમાં ટારગેટેડ કિંલિંગ થઈ રહ્યું છે, હથિયાર આવી રહ્યા છે ઈન્ટેલિજેન્સ શું કરી રહી છે? અમિત શાહ શું કહી રહ્યા છે? 370 હટાવ્યા બાદ શું કહ્યું હતુ કે કાશ્મીરમાં બધું ખતમ થઈ ગયું, પરંતુ કંઈ જ ખતમ નથી થયું. સીમાપારથી આતંકવાદીઓ આવી રહ્યા છે તમે કયું સીઝફાયર કર્યુ છે.
શું પાકિસ્તાનના એનએસએ સાથે વાત કરશે સરકાર?
આની પહેલા સોમવારે ઓવૈસીએ કહ્યું હતુ કે આપણે જોઈ રહ્યા છીએ કે નાગરિકો માર્યા જઈ રહ્યા છે. રોજ નવી હત્યાઓ થઈ રહી છે. આપણા સૈનિકો માર્યા જઈ રહ્યા છે. તેવામાં પાકિસ્તાનના એનએસએની સાથે વાતચીત કરવાનો શું મતલબ છે? જો તમે ઘાટીની હત્યાઓને નથી રોકતા તો આ દેશના દરેક ખુણામાં પુનરાવર્તિત થશે.’
#WATCH | PM Modi never speaks on 2 things -- rise in petrol and diesel prices & China sitting in our territory in Ladakh. PM is afraid of speaking on China. Our 9 soldiers died (in J&K) & on Oct 24 India-Pakistan T20 match will happen: AIMIM chief Asaduddin Owaisi, in Hyderabad pic.twitter.com/Q0AabFZ0BU
તમે ફક્ત એલઓસી પર યુદ્ધ વિરામ કેમ સ્વીકાર્યુ? - ઓવૈસી
ઓવૈસીએ સવાલ કર્યો હતો કે ‘અમે ફક્ત એલઓસી પર યુદ્ધ વિરામ કેમ સ્વીકાર્યુ? આપણા જવાન શહીદ થઈ રહ્યા છે, મજૂરો માર્યા જઈ રહ્યા છે. હવે તમે એનએસએ સાથે શું ચર્ચા કરશો? ભાજપની કોઈ સ્થિર વિદેશ નીતિ નથી. તેવા માહોલમાં તેમની સાથે વાત કરવાથી શું થશે?
જેવું અમેરિકાનું પ્રેશર પડે છે. સરકાર તેવું કરે છે- ઓવૈસી
લોકસભા સાંસદ ઓવૈસીએ કહ્યું હતુ કે શું કેન્દ્ર સરકારની પાસે પાકિસ્તાનથી અડીને એલઓસી સીમા માટે કોઈ પ્લાન છે? તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે જેવું અમેરિકાનું પ્રેશર પડે છે. સરકાર તેવું કરે છે.’