અસદુદ્દીન ઓવૈસીએ હિજાબનો વિરોધ કરનારાઓ પર તીખી ટિપ્પણી કરી છે. ઓવૈસીએ કહ્યું કે, "જ્યારે હું કહું છું કે મારું સપનું છે કે એક દિવસ આ દેશના પીએમ હિજાબ પહેરનાર બને
હિજાબ પર પ્રતિબંધ મામલો વધુ ઘેરાયો
અસદુદ્દીન ઓવૈસીએ હિજાબને લઈને ટીપ્પણી કરી
તેઓએ કહ્યું કે એક દિવસ આ દેશના પીએમ હિજાબ પહેરનાર બને
કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના મત વહેંચાયેલા છે. હવે આ કેસની સુનાવણી મોટી બેન્ચ કરશે, પરંતુ આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ હિજાબનો વિરોધ કરનારાઓ પર તીખી ટિપ્પણી કરી છે. ઓવૈસીએ કહ્યું કે, "જ્યારે હું કહું છું કે મારું સપનું છે કે એક દિવસ આ દેશના પીએમ હિજાબ પહેરનાર બને, ત્યારે ઘણા લોકોના માથામાં અને પેટમાં દુખાવો થાય છે. હું એવું કેમ ન કહું? મારું સપનું છે. એમાં ખોટું શું છે. પરંતુ તમે કહો છો કે કોઈએ હિજાબ ન પહેરવો જોઈએ. તો પછી શું પહેરવું જોઈએ? બિકિની? તમને તે પહેરવાનો પણ અધિકાર છે. પરંતુ તમે શા માટે ઇચ્છો છો કે મારી પુત્રીઓ હિજાબ ન પહેરે અને હું મારી દાઢી કાપી નાખું. '
મારા ડ્રાઈવરને સાવચેત રહેવા જણાવ્યું
હૈદરાબાદના સાંસદે કહ્યું કે, જો કોઈ મુસ્લિમ મહિલા હિજાબ પહેરે છે, તો તેનો અર્થ એ નથી કે તેની બૌદ્ધિકતામાં કોઈ ઉણપ છે. શું આપણે યુવતીઓ પર હિજાબ પહેરવાનું દબાણ કરીએ છીએ, શું આપણે ખરેખર છોકરીઓને દબાણ કરીએ છીએ? ઓવેશી એ જણાવ્યું કે, "જો તમે હૈદરાબાદ આવશો, તો તમે જોશો કે અહીંના સૌથી કુખ્યાત ડ્રાઇવરો અમારી બહેનો છે. તેમની પાછળ કોઈ ગાડી લઇ જવાનું જોખમ કોઈ ક્યારેય લઈ શકે નહીં. આ મારો અંગત અનુભવ છે. મેં મારા ડ્રાઇવરને સાવચેત રહેવાનું કહ્યું છે. તમે કોઈ છોકરીની બાઇક પાછળ બેસો અને પછી જુઓ કે તેમના પર કોઈ દબાણ કરવામાં આવે છે કે નહીં.
શું અમે છોકરીઓ પર દબાણ કરીએ છીએ, ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ
ઓવૈસીએ કહ્યું કે અમારા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે અમે છોકરીઓ પર દબાણ બનાવી રહ્યા છીએ. આખરે આજના યુગમાં કોનાથી કોણ ડરે છે? તેમણે ફરી એકવાર હિજાબની તુલના હિન્દુ, શીખ અને ખ્રિસ્તીઓના પ્રતીકો સાથે કરી હતી. "જ્યારે હિન્દુ, શીખ અને ખ્રિસ્તી વિદ્યાર્થીઓને તેમના પ્રતીકો સાથે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે, તો મુસ્લિમોને શા માટે રોકવામાં આવે છે? જો આમ થશે તો તેઓ મુસ્લિમો વિશે શું વિચારશે? તેમને સંદેશ જશે કે મુસ્લિમો આપણી નીચે છે. તેના પર બીજેપી નેતા સીટી રવિએ કહ્યું કે ઓવૈસી ઉગ્રવાદનું સમર્થન કરે છે, જે ભારતમાં કામ નહીં કરે.
ભાજપે બિન લાદેન અને તાલિબાનની ઝાટકણી કાઢી
સીટી રવિએ કહ્યું "હું ઓવૈસીને પૂછવા માંગુ છું કે, શું તમે તાલિબાનને ટેકો આપો છો, જે કુરાનના નામે આતંકવાદને પ્રોત્સાહન આપે છે? શું તમે બિન લાદેનને ટેકો આપો છો, જેણે અલ્લાહના નામે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું હતું? ઘણા લોકો અલ્લાહના નામે આતંકવાદ વધારી રહ્યા છે, પરંતુ ભારતમાં તેની મંજૂરી નહીં મળે. '