નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ બિલની કોપી જ ફાડી છે. તેના પર ભારે હંગામો થયા બાદ સ્પીકરની ખુરશી પર બેઠેલા રમા દેવીએ તેમના આ વર્તનને કાર્યવાહીથી બહાર નીકાળવાનો આદેશ આપ્યો.
અસદુદ્દીન ઓવૈસીએ બિલની કોપી જ ફાડી નાંખી
વધુ એક વિભાજન થવા જઇ રહ્યું છે : અસદુદ્દીન ઓવૈસી
ઓવૈસીએ કહ્યું કે આ બિલ હિટલરના કાયદાથી પણ ખરાબ છે
ઓવૈસીએ બિલનો વિરોધ કરતા કહ્યું કે અમે ઝીણાની વાતને નકારી અને મૌલાના આઝાદની વાતની સાથે ચાલ્યા. તેઓએ કહ્યું હતું કે અમારો ભારત સાથે 1000 વર્ષથી સંબંધ છે. આખરે સરકારને મુસ્લિમોથી આટલી સમસ્યા કેમ છે.
ઓવૈસીએ બિલની કોપી ફાડતા કહ્યું, વધુ એક વિભાજન થવા જઇ રહ્યું છે. આ બિલ ભારતના બંધારણની મૂલ ભાવનાની વિરુદ્ધ છે. આ અમારા સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરનારુ બિલ છે. હું આ બિલને ફાડુ છું, જે દેશનું વિભાજન કરવાનો પ્રયાસ કરે છે.
ઓવૈસીએ કહ્યું કે રાજેન્દ્ર પ્રસાદે બંધારણની પ્રસ્તાવનામાં ભગવાન અથવા અલ્લાહનું નામ લખવાનો વિરોધ કર્યો હતો. ઓવૈસીએ કહ્યું કે આખરે અમારો ગૂનો એટલો જ છે કે અમે મુસલમાન છીએ. તમે મુસ્લિમોને સ્ટેટલેસ બનાવી રહ્યા છો. આ વધુ એક વિભાજન થવા જઇ રહ્યું છે. બિલનો વિરોધ કરતા ઓવૈસીએ કહ્યું કે આ હિટલરના કાયદાથી પણ ખરાબ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોઘન બિલને રજૂ કર્યું. લોકસભામાં જોરદાર વિરોધ વચ્ચે સોમવારે જ્યારે બિલ રજુ થયુ તો વિપક્ષ તરફથી તેના પર મતદાનની માંગ કરાઇ. જ્યારે વોટિંગ થયું તો બિલ રજૂ કરવાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા. અમિત શાહે કહ્યું કે, હું ગૃહમાં વિશ્વાસ અપાવવા માંગુ છું કે, નાગરિકતા બિલથી લોકોને ન્યાય મળશે.