AIMIM ના પ્રમુખ અને હૈદરાબાદના દિગ્ગજ નેતા અસદુદ્દીન ઓવૈસીના ઘરે તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો હતો જેમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત ઘરમાં તોડફોડના મામલે પોલીસ ચાર લોકોની ધરપકડ કરી લીધી હતી.
હિન્દુ સેનાના કાર્યકર હોવાની સંભાવના
તેવી વાતો થઈ રહી છે કે આ ચારે હિન્દુ સેનાના કાર્યકર હોવાની સંભાવના છે. મંગળવારે દિલ્હીમાં અશોક રોડ પર આવેલા ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસાદુદ્દીન ઓવૈસીના નિવાસ પર તોડફોડ થઈ હતી.
આ મામલે હવે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હિન્દુ સેનાના કાર્યકર હોવાની સંભાવના
પણ વ્યક્ત કરવાંમાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ સંસદ માર્ગ સ્ટેશનમાં IPC ની કલમ 427, 188 અને સાર્વજનિક સંપતિને નુકસાન પહોંચાડવા હેઠળના અધિનિયમની કલમ 3 અનુસાર કેસ નોંધવામાં આવ્યો છે.
હંમશની જેમ તેમણે ઝૂંડમાં જ વીરતા બતાવી
ઘટના બાદ ઓવૈસી અમુક ફોટો ટ્વિટ કરીને કહ્યું હતું કે આજે અમુક ઉગ્રવાદી ગુંડાઓએ મારા દિલ્હી સ્થિત ઘરે તોડફોડ કરી હતી. તેમની આ હરકતો અમે ખ્યાતનામ છે. હંમશની જેમ તેમણે ઝૂંડમાં જ વીરતા બતાવી છે. અને સમય પણ એવો જ લીધો કે જ્યારે હું ઘરે નહોતો. ગુંડાઓના હાથમાં કુહાડીઓ અને લાકડીઓ હતી. ઘર પર પત્થરબાજી કરવામાં આવી હતી. આ સાથે તેમણે અન્ય કેટલાક ટ્વિટ કર્યા હતા.
ભાજપ પર નિશાન
અસાદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે લોકોની આટળી બધી કટ્ટરતા માટે ભાજપ જવાબદાર છે. કોઈ સાંસદના ઘરે આ રીતે હુમલો કરવામાં આવે તે શું સૂચવે છે?
BJP is to be held responsible for radicalisation of people. If an MP's house is attacked like this, what message does it convey?....I had come to meet Shivpal Yadav, he is such a tall leader of UP: AIMIM chief Asaduddin Owaiasi on incident of vandalism at his Delhi house pic.twitter.com/TGfIbgiXa6
વિડીયો વાયરલ
ઘટનાના સમયે એક વિડીયો સોશ્યલ મીડિયો વાયરલ થયો હતો જેમાં હિન્દુ સેનાના અધ્યક્ષ લલીત કુમાર બોલી રહ્યા હતા કે તેઓ ઓવૈસીને સબક શીખવાડવા માટે તેમના ઘરે ગયા હતા અને પોતાની રેલીઓમાં ઓવૈસી હિન્દૂ વિરોધી બોલતા હોવાનું કારણ આપ્યું હતું. ત્યાર બાદ સંગઠનના રાષ્ટ્રીય અધીકસખ વિષ્ણુ ગુપ્તા એ કહ્યું હતું કે તેઓ ઓવૈસીના કથિત હિન્દુ વિરોધી નિવેદનોથી પરેશાન થઈ ગયા છે.
ગુપ્તાએ કહ્યું હતું કે AIMIM ચીફ વારંવાર હિન્દુ વિરોધી નીવેદનો આપીને સમાચારોમાં રહેવા ટ્રાય કરતાં હોય છે. ઉત્તરપ્રદેશમાં તેમના વિરુદ્ધ કેસ હોવાનું પણ કહેવા માં આવી રહ્યું છે.