AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ વિવાદ પર આવેલા કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને સંવિધાન વિરુદ્ધ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ નિર્ણય ધર્મ, સંસ્કૃતિ, અભિવ્યક્તિ અને કલાની સ્વતંત્રતા જેવા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો
અસદુદ્દીન ઓવૈસી ચુકાદા સાથે અસહમત
મુસ્લિમ મહિલાઓને કરવામાં આવે છે ટાર્ગેટ
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ વિવાદ પર આવેલા કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને સંવિધાન વિરુદ્ધ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ નિર્ણય ધર્મ, સંસ્કૃતિ, અભિવ્યક્તિ અને કલાની સ્વતંત્રતા જેવા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેનું મુસ્લિમ મહિલાઓ પર નકારાત્મક પ્રભાવ પડશે. તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ઓવૈસીએ કહ્યું કે, આધુનિકતા ધાર્મિક પ્રથાઓને છોડવામાં નથી. આખરે હિજાબ પહેરવામાં શું વાંધો છે ?
હાઈકોર્ટના ચુકાદાથી અસહમત
ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે, હું હિજાબ પર કર્ણાટક હાઈકોર્ટના આ ચુકાદા સાથે અસહમત છું. ચુકાદાથી અસહમત થવું એ મારો અધિકાર છે. અને મને આશા છે કે, અરજીકર્તા સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની અપીલ કરશે. તેમણે કહ્યું કે, મને એ પણ આશા છે કે, ન ફક્ત ઓલ ઈંડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પણ અન્ય ધાર્મિક સંગઠનો પણ આ ચુકાદા વિરુદ્ધ અપીલ કરશે.
ઓવૈસીએ કહ્યું કે, સંવિધાનની પ્રસ્તાવનામાં કહેવાયુ છે કે, વ્યક્તિ પાસે વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, આસ્થા અને પૂજાની સ્વતંત્રતા છે. જો એ મારો વિશ્વાસ છે કે, મારા માથુ ઢાંકવુ જરૂરી છે, તો મને તેને વ્યક્ત કરવાનો અધિકાર છે, જે મને ઠીક લાગે છે. એક ધર્મનિષ્ઠ મુસલમાન માટે હિજાબ પણ એક પ્રકારની બંદગી જ છે.
એક અન્ય ટ્વિટમાં તેમણે કહ્યું કે, આ જરૂરી ધાર્મિક પ્રેક્ટિસ ટેસ્ટની સમીક્ષા કરવાનો સમય છે. એક ભક્ત માટે બધું જ જરૂરી છે, એક નાસ્તિક માટે કંઈ જરૂરી હોતું નથી. એક ભક્ત હિન્દુ બ્રાહ્મણ માટે જનોઈ જરૂરી છે, પણ બિન બ્રાહ્મણ માટે તે ન હોઈ શકે. આ વિચિત્ર છે કે, જજ જરૂરિયાતને નક્કી કરી શકે છે.
રાજ્યોની નથી હોતી આ છૂટ
AIMIM ચીફે કહ્યું કે, એક જ ધર્મના અન્ય લોકો પણ અનિવાર્યતા નક્કી કરી શકે નહીં. આ વ્યક્તિ અને ઈશ્વરની વચ્ચેનો મામલો છે. રાજ્યોનો ધાર્મિક અધિકારોમાં હસ્તક્ષેપ કરવાની અનુમતિ ત્યારે જ આપવામાં આવે જ્યારે આ પ્રકારની પૂજા અન્યને નુકસાન પહોંચાડે. હિજાબ કોઈને નુકસાન નથી પહોંચાડતું.
મુસ્લિમ મહિલાઓને કરી રહ્યા છે ટાર્ગેટ
ઓવૈસીએ આગળ કહ્યું કે, નિશ્ચિતપણે હિજાબ પર પ્રતિબંધથી ધર્મનિષ્ટ મુસ્લિમ મહિલાઓ અને તેમના પરિવારનો નુકસાન પોહંચાડે છે. કારણ કે તેમને શિક્ષણ પ્રાપ્ત કરતા રોકવામાં આવે છે. વિવાદમાં ઉપયોગમાં લેવાતા આ બહાના છે કે, યુનિફોર્મ એકરૂપતા નક્કી કરે છે. શું બાળકોને નથી ખબર પડતી કે, અમીર/ગરીબ પરિવારમાંથી કોણ આવે છે ? શું જાતિના નામે પૃષ્ઠભૂમિ નથી દર્શાવતા ?