અસદુદ્દીન ઓવૈસીને હવે કેન્દ્ર સરકારે ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ ઓવૈસીને ઝેડ કેટેગરી સુરક્ષા આપી છે.
અસદુદ્દીન ઓવૈસીને હવે કેન્દ્ર સરકારે ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ ઓવૈસીને ઝેડ કેટેગરી સુરક્ષા આપી છે. જેમાં CRPFના જવાનો પણ રહેશે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રનો આ નિર્ણય યુપીમાં ઓવૈસીના કાફલા પર થયેલા ગોળીબાર બાદ આવ્યો છે. AIMIM પ્રમુખ ઓવૈસીના કાફલા પર હાપુડ ટોલ પ્લાઝા પર ગોળીબાર થયો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અસદુદ્દીન ઓવૈસીને ઝેડ કેટેગરી સિક્યોરિટીમાં 22 સુરક્ષા જવાનો મળશે. જે દરરોજ 24 કલાકે તેમની સાથે રહેશે. તો વળી તેમના નિવાસ સ્થાને પણ પર્સનલ સિક્યોરિટી ઓફિસર અને સિક્યોરિટી તૈનાત કરી દેવામાં આવી છે.
ઓવૈસીએ કહ્યું હતું નહીં લઉ સુરક્ષા
ઓલ ઈંડિયા મજલિસ એ ઈત્તેહાદ્દુલ મુસ્લમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ હુમલા બાદ જણાવ્યું હતું કે, મૈં મારુ રાજકીય કરિયર 1994થી શરૂ કર્યું છે, અત્યાર સુધીમાં મેં કોઈ પણ પ્રકારની સુરક્ષા લીધી નથી. મને તે પસંદ નથી. મારા જીવની રક્ષા કરવાની જવાબદારી સરકારની છે. હું ભવિષ્યમાં પણ ક્યારેય સુરક્ષા નહીં લઉ. જ્યારે મારો સમય આવશે, ત્યારે હું જતો રહીશ.
તો વળી એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાતં કુમારે કહ્યું હતું કે, ઓવૈસી પર હુમલો કરનારા બંને આરોપીઓે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, તેમાં 307 (હત્યાની કોશિશ)ની કલમો લગાવામાં આવી છે. FIRમાં સચિન શર્મા અને શુભમનું નામ નોંધાવ્યું છે. આજે 12 વાગ્યે બંનેને હાપુડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તેમની કસ્ટડી માગવામાં આવશે. ઓવૈસી પર અટેકને લઈને પોલીસ આજે પ્રેસ કોન્ફરરંસ પણ કરશે.
ગુરૂવારે અસદ્દદીન ઓવૈસીએ દાવો કર્યો હતો કકે, જ્યારે તે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લઈને દિલ્હી પાછા આવી રહ્યા હતા, તે સમયે કિઠૌરમાં છીઝારસી ટોલ પ્લાઝા પાસે બે લોકોએ તેમના પર ગોળીઓ ચલાવી હતી. બાદમાં આ ઘટનાનો સીસીટીવી ફૂટેઝ પણ સામે આવ્યા હતા.