કિંગ ખાનના દીકરા આર્યનની ધરપકડ બાદ ક્રૂઝ ડ્રગ કેસ નવા નવા વળાંકો લઈ રહ્યો છે. હવે અસદુદ્દીન ઓવૈસીએ પણ હોટ ટૉપિકમાં ઝંપલાવ્યું હતું.
બોલીવુડના બાદશાહ તરીકે ઓળખાતા શાહરુખ ખાનની હાલત અત્યારે દીકરા આર્યન ખાનના કારણે કફોડી થઈ ગઈ છે. હાલ તો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ છે પરંતુ તેને લઈને રોજ નવા નવા વિવાદો શરૂ થઈ રહ્યા છે.
એક સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ આ મુદ્દામાં ઝંપલાવ્યું હતું. અને હવે અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું અને ચર્ચામાં આવ્યા હતા.
આર્યન મુદ્દે કહ્યું...
આર્યન ખાનનું નમ લઈને ઓવૈસીએ કહ્યું હતું કે,''મને કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મસ્ટારના દીકરા માટે કઇંક બોલો. પણ હું એમની વાત કરવા માગુ છું જે ગરીબ છે. યુપીની જેલમાં 27% મુસ્લિમો બંધ છે એમની વાત કોણ કરશે?
લખીમપુરના મામલે સરકાર પર પ્રહારો
આ ઘટના ઓવૈસી ગાઝિયાબાદમાં એક સભાને સંબોધન કરતા હતા ત્યારે બની હતી. તેમણે કહ્યું હતું કે બીજા ઘણા લોકો છે જે જેલમાં કેદ છે અને એ લોકો વિશે તેઓ વાત કરશે. સેલિબ્રિટીના દીકરા મામલે લોકો તેઓને બોલવા માટે કહે છે પણ ગરીબોની વાત કોણ કરશે. તેમણે લખીમપુરના મામલે સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હતું કે મંત્રીના દીકરા આશિષ શક્તિશાળી ઊંચી જાતિના છે એટલા માટે પ્રધાનમંત્રી તેમના પિતાને પદ પરથી હટાવી નથી શકતા.
પરેશ રાવલે આપ્યું નિવેદન
અગાઉ બોલીવૂડના દિગ્ગજ એક્ટર પરેશ રાવલે આર્યન ખાન કેસ પર નિવેદન આપ્યું છે અને કહ્યું કે, જવાન દિકરાને કોઇ કંટ્રોલ ન કરી શકે. બાળકે વિચારવું જોઇએ કે બાપનું નામ ખરાબ ન થાય.
KRKએ આપ્યું નિવેદન
સેલેબ્સ ટ્વિટ કરી રહ્યાં છે અને KRKએ ટ્વિટ કરીને લખ્યું કે, 'NCB આર્યન ખાનને જેલમાં 20 ઓક્ટોબર સુધી રાખવામાં સફળ થઇ ગઇ છે. મતલબ આર્યન ખાનને નર્ક જોવું પડશે. આશા છે તે આ અસહનીય દર્દને બહાદુરીથી સહન કરી શકે. મારી પ્રાર્થના તેની સાથે છે કારણકે તેના જીવને ખતરો છે.
આર્યનનો કેસ હવે આ વકિલ લડશે
આર્યન ખાનનો કેસ અત્યાર સુધી સતીશ માનશિંદે લડી રહ્યા હતા. પરંતુ હવે શાહરૂખ ખાને સીનિયર એડવોકેટ અમિત દેસાઈને આ કેસ આપ્યો છે. અમિત દેસાઈ 11 ઓક્ટોબરે પણ સતીશ માનશિંદેની સાથે સેશન કોર્ટમાં જોવા મળ્યા હતા. તે આર્યનની જામીન માટે પહોંચ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે માત્ર મ્હારાષ્ટ્રમાંથી ડ્રગ્સ મલે છે એવું નથી, મેં તો સાંભળ્યું છે કે મુંદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળ્યું છે. આ મુંદ્રા પોર્ટ ક્યાં છે? ગુજરાતમાં છે ને. અહિયાં એક ચપટી ગાંજો સૂંઘી સેલિબ્રિટીને પકડીને તમે ઢોલ વગાડો છો અને ફોટો પડાવો છો, મહારાષ્ટ્ર પોલીસે તો 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આંગણે તુલસી લગાવવાની આપણી સંસ્કૃતિ
તેમણે કહ્યું હતું કે આંગણે તુલસી લગાવવાની આપણી સંસ્કૃતિ છે પણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે જાણે હવે આંગણે ગાંજો લગાવવામાં આવી રહ્યો હોય. એવું નથી કે મહારાષ્ટ્રની પોલીસ કશું કરી નથી રહી. ગુજરાતમાં મુન્દ્રામાંથી પણ કરોડોનું ડ્રગ્સ મળ્યું હતું. આપણી પોલીસ કામ કરી રહી છે પણ ન્યૂઝ એવા આવી રહ્યા છે કે જામીન મળ્યા કે નહીં.