યુપીમાં થયેલી હિંસાને પણ વખોડી, પોલીસને કાયદો હાથમાં ન લેવાની સલાહ
નૂપુર શર્માની હજૂ સુધી ધરપકડ કેમ થતી નથી- ઓવૈસી
ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મહોમ્મદ વિશે કરેલી ટિપ્પણીને લઈને ધરપકડ થવી જોઈએ. તેની સાથે જ તેમણે યુપીમાં ઉપદ્રવીઓ પર થતી બુલડોઝરને લઈને કાર્યવાહી પર પણ સવાલો ઉભા કર્યા હતા.
ભાજપ પર લગાવ્યો આરોપ
તેમણે કહ્યું કે, આ મુદ્દા પર કોઈને પણ હિંસામાં શામેલ થવું જોઈએ નહીં અને ન તો પોલીસે કાયદો હાથમાં લેવો જોઈએ. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ટીવી ડિબેટમાં શર્માની ટિપ્પણી બાદ ભાજપે તેમના વિરુદ્ધ સમયસર કાર્યવાહી કરી નહીં, જેનાથી આ મોટો વિવાદ થયો.
PM Modi didn't listen to what I said in a speech in Bhiwandi 2-3 days after Nupur Sharma made those comments, but he immediately swung into action the moment foreign countries started reacting: AIMIM chief Asaduddin Owaisi in Bhuj pic.twitter.com/tCJQuHXXQg
ઓવૈસીએ પત્રકારોને કહ્યું કે, નૂપુર શર્માની ધરપકડ થતી નથી. કાયદા અનુસાર, તેમની ધરપકડ થવી જોઈએ. તેને આટલા દિવસથી ધરપકડ કરાઈ નથી. આપ તેની ધરપકડ શા માટે નથી કરતા અને તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શા માટે થતી નથી, આપને કોણ રોકી રહ્યું છે ?