હૈદરાબાદમાં નમાઝ બાદ લોકો સાથે વાત કરી વખતે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી રડા પડ્યા હતા.
હૈદરાબાદના સાંસદ ઓવૈસી ભાષણ આપતા રડી પડ્યા
લોકોને કરી ભાવૂક અપીલ
ધર્મ વિશેષ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચાર પર કહી આ વાત
હૈદરાબાદમાં નમાઝ બાદ લોકો સાથે વાત કરી વખતે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી રડા પડ્યા હતા. તેમણે રડતા રડતા કહ્યું કે, ખરગોનમાં મુસ્લિમોના ઘર તોડી નાખ્યા, જહાંગીરપુરીમાં તેમની સાથે હિંસા થઈ, પણ તેમણે મેદાન છોડ્યું નથી. તેમને મોતથી ડર નથી લાગતો.
LIVE from Mecca Masjid, Hyderabad: Jalsa Youm-ul-Qur’an on the occasion of Jumu'atul-Widahttps://t.co/FvQdVBGqEO
ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે, દેશમાં એક સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. તેમની નજરમાં એવી કેટલીય ઘટનાઓ છે, જે સીધી રીતે એક ધર્મ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. તેમણે કહ્યું કે, હિમ્મત હારતા નહીં, *** મને આ મોતથી કોઈ ડર નથી લાગતો. અમે તમારા અત્યાચારોથી ડરવાના પણ નથી. તમારી સત્તા પણ અમને ડરાવી નહીં શકે. અમે ધીરજથી કામ લઈ રહ્યા છીએ, પણ અમે ક્યારેય મેદાન છોડીશું નહીં.
ઓવૈસીએ લોકોને ધીરજ રાખવા જણાવ્યું
આમ જોવા જઈએ તો, ઘણા એવા અવસર છે, જ્યાં ઓવૈસીની આંખો ભરાઈ આવી છે. તેઓ નારાજ જણાઈ રહ્યા હતા. લધુમતીઓ વિરુદ્ધ થયેલા કાર્યવાહીથી તેઓ ભડકી ગયા હતા. તેમના તરફથી ઘણી વાર આ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અમે અલ્લાહના રસ્તે ચાલી રહ્યા છીએ, હિમ્મત રાખનારા છીએ. તેમના જણાવ્યા અનુસાર મુસ્લિમ સમાજ પાસે ફક્ત ઈમાનદારીની દૌલત છે. ત્યારે આવા સમયે અલ્લાહ જ તેમના માટે રસ્તા ખોલશે. કોઈને પણ ગભરાવાની જરૂર નથી. ઉતાર ચડાવ તો આવશે, પણ આપણે દરેક પડકારનો સામનો કરવાનો છે.