RSS ચીફ મોહન ભાગવતનાં જનસંખ્યાને લઈને નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કરતા કહ્યું છે કે મુસ્લિમોની વસ્તી તો ઘટી રહી છે.
જનસંખ્યાને લઈને RSS ચીફ મોહન ભાગવતે આપ્યું હતું નિવેદન
મુસ્લિમ જનસંખ્યા ઘટી રહી છે : ઓવૈસીનો પલટવાર
જાતી અને વર્ણને ત્યાગ કરવાની પણ મોહન ભાગવતે કરી હતી અપીલ
જનસંખ્યાને લઈને RSS ચીફ મોહન ભાગવતે આપ્યું હતું નિવેદન
RSSના પ્રમુખ મોહન ભાગવતે દશેરાનાં અવસર પર RSS નાગપુર મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં જનસંખ્યાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતને ગંભીર મંથન કરીને એક વ્યાપક જનસંખ્યા પોલિસી લાવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે જનસંખ્યામાં પ્રમાણમાં સંતુલન હોવું જોઈએ. તેઓ જણાવે છે કે જનસંખ્યા અસંતુલનના ગંભીર પરિણામો ભોગવે છે. આ પચાસ વર્ષ પહેલા થયું હતું પણ આજના સમયમાં પણ આમ જ ચાલી રહ્યું છે. પૂર્વી તિમોર નામનો નવો દેશ બન્યો, દક્ષિણ સુડાન નામનો નવો દેશ બન્યો. કોસોવો બન્યો. મોહન ભાગવતનાં આ જ નિવેદન પર AIMIMનાં પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મોટી વાત કહી દીધી છે.
Population require resources. If it grows without building resources, it becomes a burden. There is another view in which population is considered an asset. We need to work on a population policy for all keeping both aspects in mind: RSS chief Mohan Bhagwat pic.twitter.com/JeQyeZul9K
#WATCH | On RSS chief Mohan Bhagwat's statement that there's a religious imbalance in India, AIMIM chief Asaduddin Owaisi says, "Don't fret, Muslim population is not increasing, it's rather falling... Who's using condoms the most? We are. Mohan Bhagwat won't speak on this." pic.twitter.com/kcaYLaNm7A
મુસ્લિમ વસ્તીને લઈને ઓવૈસીનું નિવેદન
ઓવૈસીએ એક સાર્વજનિક મંચ પર RSS ચીફનાં જનસંખ્યાને લઈને નિવેદન પર નિંદા કરતા કહ્યું છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમકે મુસ્લિમ આબાદી નથી વધી રહી, પણ મુસ્લિમ આબાદી તો ઘટી રહી છે. ઓવૈસીએ આગળ કહ્યું કે સૌથી વધારે TFR મુસ્લિમોનો ઘટ્યો છે. આ સાથે જ બે બાળકોના જન્મ વચ્ચે સમયાંતર સૌથી વધારે મુસ્લિમનો જ હોય છે. સૌથી વધારે કોન્ડમનો ઉપયોગ પણ મુસ્લિમ જ કરી રહ્યા છે. AIMIM પ્રમુખે કહ્યું કે મોહન ભાગવત આ બાબત પર વાત નહીં કરે.
Maharashtra | Concepts of 'Varna' & 'Jaati' (caste) should be forgotten... today if someone asks about it, everyone thinking in the interest of society should tell that 'Varna' & 'Jaati' (caste) system is a thing of the past & should be forgotten: RSS chief Mohan Bhagwat (07.10) pic.twitter.com/Oaz4mKjpiN
RSS ચીફ મહાન ભાગવતના નિવેદન પર ચર્ચા
આ સાથે જ RSSના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે મોટી અપીલ કરી હતી, તેમણે કહ્યું હતું કે વર્ણ અને જાતિ જેવી અવધારણાઓને સંપૂર્ણ રીતે ત્યાગી દેવી જોઈએ. ભાગવતે કહ્યું કે દરેક વસ્તુ જે ભેદભાવનું કારણ બને છે તે લોક, સ્ટોક અને બેરલની બહાર હોવી જોઈએ. તેઓ અહીં એક પુસ્તક વિમોચન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.