છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 37,379 કેસ, જ્યારે ગુજરાતમાં 7 મહિનામાં સૌથી વધુ 1259 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
કોરોનાના કેસમાં સતત વધારો
AMA દ્વારા એડવાઇઝરી કરાઇ જાહેર
મેળાવડા વાળી ઉજવણી ટાળવા સૂચન
ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે.દિવસે ને દિવસે કોરોનાના અને ઓમિક્રૉનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતની સ્થિતિ વકરતા AMA દ્વારા સરકારને સૂચનો મોકલવામાં આવ્યા છે. મેળાવડા વાળી ઉજવણી ટાળવા માટે અને કાર્યક્રમો મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરવા સૂચન કરવામાં આવ્યું છે.ડો. મુકેશ મહેશ્વરી, AMAના મીડિયા કોઓર્ડીનેટર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે
કોરોના સંક્રમણ વધતા AMA દ્વારા એડવાઇઝરી કરાઇ જાહેર
સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો 25 ટકા સુધી મર્યાદિત કરવા સૂચન
જાહેર સ્થળોએ ભીડ તેની કુલ ક્ષમતાની 40 ટકાથી વધુ હોવી જોઇએ નહીં
શરદી-ખાંસી જેવા લક્ષણો દેખાતા ડૉક્ટરને બતાવવા લોકોને અનુરોધ
દિલ્લીની જેમ ગુજરાતમાં હજુ વિક એન્ડ લોકડાઉનની જરૂર નથી
ગુજરાતમાં કેટલા કેસ?
ગુજરાતમાં કોરોનાના કેસોમાં વિસ્ફોટ જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના એક હજાર 259 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 644 કેસ, સુરતમાં 225 કેસ, વડોદરામાં 75 કેસ, રાજકોટમાં 61 કેસ નોંધાયા છે. જયારે ગાંધીનગરમાં 28 કેસ, વલસાડમાં 40 કેસ, આણંદમાં 29 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યાં 5 હજાર 858 પર પહોચી છે. હાલ રાજ્યમાં કુલ 16 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યભરમાં કોરોનાને કારણે 3 મૃત્યુ થયા છે. જેમાં જામનગરમાં 2 દર્દી અને નવસારીમાં એક મૃત્યુ થયું છે. રાજ્યભરમાં કુલ 7.46 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 9.04 કરોડ રસીના ડોઝ અપાયા છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.09 ટકા છે.
ભારતમાં કોરોનાનો ભરડો
ભારતમાં વધ્યો કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 37,379 કેસ નોંધાયા, જ્યારે 11,007 દર્દીઓ થયા સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાને કારણે 124 લોકોનો મોત થયા. દેશમાં અત્યારસુધી 3 કરોડ 49 લાખ 60 હજાર 261 કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસો 1 લાખ 71 હજાર 830 પર પહોંચ્યા,દેશમાં સ્વસ્થ કેસોની સંખ્યા 3 કરોડ 43 લાખ 6 હજાર 414 થઇ છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કારણે 4 લાખ 82 હજાર 17 મોત નીપજ્યા છે. દેશમાં કુલ 1 અબજ 46 કરોડ 70 લાખ 18 હજાર 464 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
ઝારખંડમાં મિની લોકડાઉનની જાહેરાત
રાજ્ય સરકારના પ્રતિબંધ અનુસાર હવેથી 15 જાન્યુઆરી સુધી રાતના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટ, બાર સહિતની બીજી દુકાનો હવે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. બીજી તરફ 15 જાન્યુઆરી સુધી સ્ટેડિયમ, પાર્ક, જીમ, ઝૂ, પ્રવાસન સ્થળ અને શૈક્ષણિક સંસ્થાન પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
મુંબઈમાં 31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી8ની સ્કૂલ બંધ
વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બીએમસીના અધિકારીોએ આજે એક મોટી બેઠક કરી હતી. બેઠકમાં સ્કૂલ બંધ રાખવા પર બધા અધિકારીઓ સંમત થયા હતા જે પછી 1થી 9 અને 11મા ધોરણની સ્કૂલ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોરોનાના કેસ વધતા કયા રાજ્યમાં શું નિર્ણયો લેવાયા
આજથી દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂનો નિર્ણય લેવાયો
ઉત્તરપ્રદેશમાં ધોરણ 8 સુધીની સ્કૂલ 15 દિવસ બંધ
પટનામાં ધોરણ 8 સુધીની સ્કૂલ 8 જાન્યુઆરી સુધી બંધ
પ.બંગાળમાં સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટી બંધ
તમિલનાડુમાં 8 ધોરણ સુધીની સ્કૂલ 10 જાન્યુઆરી સુધી બંધ
ઓડિશામાં આજથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રખાયો
રાજસ્થાનમાં ધોરણ 8 સુધીની સ્કૂલ 9 જાન્યુઆરી સુધી બંધ