ગુજરાત હાઈકોર્ટ દ્વારા 8 મનપા સિવાયની દરેક કોર્ટને ઓફલાઈન શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. કોરોનાના કેસ વધતા કોર્ટોને ઓનલાઈન કામગીરી માટે આદેશ આપવામાં આવ્યો હતો. જોકે હવે ફરીથી ઓફલાઈન કામગીરી કરવા હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે.
હાઈકોર્ટે તમામ જિલ્લાની કોર્ટ ઓફલાઈન શરૂ કરવા આપી મંજૂરી
8 મનપા સિવાયની બધી કોર્ટ રાબેતા મુજબ શરૂ થશે
કોરોના ગાઈડલાઉનું ચુસ્ત પણે પાલન કરવું પડશે
જાન્યુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હતી પરંતુ હવે ધીરે ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. કોરોનાને કારણે જિલ્લા તેમજ તાલુકાની કોર્ટો બંધ કરાવીને ઓનલાઈન કામગીરી કરવામાં આવી રહી જોકે હવે કોર્ટ દ્વારા ઓફલાઈન કામગીરી શરૂ કરાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ જિલ્લા કોર્ટને શરૂ કરવા હાઈકોર્ટે પરવાનગી આપી દીધી છે.
ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે
કુલ 8 મનપા વિસ્તાર સિવાયની તમામ કોર્ટ હવે રાબેતા મુજબ શરૂ કરી શકાશે. જોકે દરેક કોર્ટમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન પણ કરવું પડશે તેવો હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ જે પણ જિલ્લામાં 100 કરતા વધું કેસ હોય ત્યા ઓનલાઈન કામગીરી માટે આદેશ આપવામાં આવ્યો હતો
8 મનપા વિસ્તાર કોર્ટ ઓનલાઈન જ કામ કરશે
જોકે હવે કોરોનાના કેસ ઘટતા ફરીથી બધી કોર્ટ શરૂ થશે જેમા 8 મનપા સિવાયની તમામ કોર્ટને રાબેતા મુજબશરૂ કરવામાં આવશે. કોરોનાના કેસ ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધીરે ધીરે હવે દરેક પ્રતિબંધો હટી રહ્યા છે. જેમા કોર્ટો પણ હવે ખોલી દેવામાં આવી છે. જોકે હજુ પણ 8 મનપા વિસ્તારમાં આવેલી કોર્ટોને બંધ રાખવામાં આવી છે.
સાવધાની હજુ પણ રાખવી જરૂરી
ઉલ્લેનીય છે કે ગુજરાતમાં હાલ કોરોનાના કેસ ઘટી ગયા છે. જે સારી વાત છે. પરંતુ મોતનો આકડો હજુ પણ ભયજનક છે. જેથી સાવધાની રાખવી હજુ પણ તેટલીજ જરૂરી છે. ખાસ કરીને કોરોના પ્રોટોકોલનું પાલન દરેકે જરૂરથી કરવું જોઈએ. તોજ કોરોના સામેની લડાઈમાં આપણે જીતી શકીશું