બોલીવુડની ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચ હાલમાં તે નવી ફિલ્મ ‘ફન્નેખાં’ને લઇ ચર્ચામાં રહેલી છે. ઐશ્વર્યાનું માનવું છે કે જેમ જેમ કલાકારની ઉંમર વધતી જાય છે તેમ તેમ ડિરેક્ટર્સ માટે તેની જરૂરિયાત પણ વધતી જાય છે.
ઐશ્વર્યાએ ઘણી બધી નિષ્ફળ ફિલ્મો પણ આપી છે. તે કહે છે કે કોઇ પણ ફિલ્મ બે રીતે નિષ્ફળ જઇ શકે. એક તો બોક્સ ઓફિસ પર અને બીજી સમીક્ષકોની નજરમાં. મારી જે ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણી ન કરી શકી તેમાંની ઘણી ફિલ્મોએ સમીક્ષકોની પ્રશંસા પણ મેળવી છે.
બોક્સ ઓફિસની વાત કરું તો જ્યારે તમારી મહેનતને લોકો પસંદ કરતા નથી અને પ્રોડક્ટને સારો રિસ્પોન્સ મળતો નથી તો સ્વાભાવિક રીતે એક કલાકાર તરીકે દુઃખ થાય છે પરંતુ બોલિવૂડમાં આ બધું ચાલતું રહેતું હોય છે. કોઇ એક ફિલ્મ નિષ્ફળ જવાથી કલાકારની કરિયર રોકાતી નથી. કોઇ પણ વ્યક્તિ તેમાંથી શીખીને આગળ વધી શકે છે અને વધુ મહેનત કરવા લાગે છે.
એક ફિલ્મ ઘણા લોકોની મહેનતથી બને છે. તેથી ફિલ્મ નિષ્ફળ જાય તો ઘણા બધા લોકોને તેની અસર થતી હોય છે. જ્યારે બધાંની મહેનત નિષ્ફળ જાય ત્યારે એક અજીબ લાગણી થાય છે. દરેક કલાકારની લાઇફમાં ક્યારેક ને ક્યારેક તો આવો સમય આવે જ છે. લગભગ બે વર્ષ બાદ મોટા પરદે ‘ફન્નેખાં’થી ઐશ્વર્યા પરત આવી રહી છે. ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર રાજકુમાર રાવ અને આર. માધવન છે.