ગુજરાતના નવનિર્વાચિત મુખ્યમંત્રી રાજ્યપાલને મળીને આવ્યા બાદ સીધા જ ત્રિમંદિર અને ત્યારબાદ જગન્નાથ મંદિર પહોચી આશિર્વાદ લીધા.
મુખ્યમંત્રીની અતૂટ શ્રદ્ધા
ભૂપેન્દ્ર પટેલ પહોચ્યા ત્રિ મંદિર
જગન્નાથ મંદિરના પણ કર્યા દર્શન
ગુજરાતના નવ નિર્વાચિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સવારથી જ કમલમની તૈયારીમાં હતા.રાજ્યભરના પ્રચાર-પ્રસાર માધ્યમો ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે તરહ-તરહની અટકળો અને જુદા-જુદા નામ ચલાવવામાં વ્યસ્ત હતા.પણ આટલા ભાજપી કાર્ય્કાર્તોમાં એક જ ચહેરા પર ના તો કોઈ ઉચાટ હતો,કે ના તો કોઈ હાવભાવ. તે હતા ઘાટલોડીયા વિધાનસભાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ.એવું પણ નથી કે ભૂપેન્દ્ર પટેલને કોઈ અગાઉથી અંદેશો ના અપાયો હોય. ત્રિ-મંદિરના દાદા ભગવાનમાં અસીમ શ્રદ્ધા ધરાવતા ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળી આવ્યા પછી સીધા જ ત્રિ મદિર પહોચીને દર્શન કર્યા હતા.અને નવી જવાબદારી વહન કરવાનું આત્મબળ અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ધેર્ય અને મજબૂત મનોબળ માટે પ્રાર્થના કરી હતી.
પહોચ્યા જગન્નાથ મંદિર
ત્રિ મદિરમાં પૂજન-દર્શન કર્યા બાદ સીધા જ તેઓ જગત નાથ,જગન્ન્નાથ મંદિર પહોચી ગયા હતા. ભગવાન જગન્નાથના પૂજન-એચ્ન કરી અહીં પણ પોતાને મળેલી જવાબદારી નિષ્કલંક નિભાવી જાણવાના આશીર્વચન માંગ્યા હતા. મંદિરના મહંત-પૂજારીઓ પાસેથી પણ આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સોમવારે શપથ
ઉલ્લેખનીય છેકે, સોમવારે બપોરે બે વાગ્યાના અરસામાં રાજ્યના 17મા મુખ્યમંત્રી પદના તેઓ શપથ લેશે.સોમવારે શપથગ્રહણ કરનારાઓમાં એક માત્ર મુખ્યમંત્રી રહેશે. મંત્રી મંડળના નવા સાથીદારો અંગે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ સાથે વિશદ પરામર્શ બાદ જે નક્કી થશે તેઓના શપથ અંગે પણ સમય અને તારીખ નક્કી કરવામાં આવશે.સંભવ છે કે, સમાન્ય રીતે ડર બુધવારે કેબીનેટની બેઠક હોય છે.ત્યારે,શપથગ્રહણ પણ મંગળવારે થઇ જાય અને બુધવારથી નવા મંત્રીઓ પોતાનો કાર્યભાર સંભાળી લે તેવો પ્રયત્ન રહે તો તેમાં અચરજ જેવું કશું નથી
કોણ-કોણ શપથમાં
અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના નવા ઘોષિત થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથગ્રહણ સમારોહમાં અમિત શાહ સાથે ભાજપ સાશિત રાજ્યોના ચાર મુખ્યમંત્રી ઉપસ્થિત રહી શકે છે. જેમાં હાલમાં જ કર્ણાટકમાં નિયુક્તિ પામેલા બસવરાજ બોમાઈ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ,આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા ગુજરાત આવી શકે છે.