દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન સાથે સબંધ સુધારવા સતત પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે એવું લાગે છે કે પાર્ટીની સલાહ કંઈક અલગ લાગે છે. ભાજપના કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ માટે જે મેન્યુઅલ જાહેર થયું છે તેમાં ચીનને ભારત માટે ખતરો ગણાવ્યો છે. જેના પર ચીનના રાજદૂતે પોતાની પ્રતિક્રિયા આપી છે. ચીનના રાજદૂતે કહ્યું કે ચીન કોઈ પણ દેશ માટે ખતરો નથી.
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન સતત પોતાની સીમા પરના વિવાદોને ઉકેલવામાં વ્યસ્ત છે. પીએમ મોદી ત્રણ વાર ચીનની મુલાકાત લઈ આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ભાજપ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપનારા મેન્યુઅલમાં ચીનને ભારત અને ભારતીયો હિતો માટે ખતરો ગણાવ્યો છે.
આપને જણાવી દઇએ કે ચીન કોઈ પણ જાતનું સમાધાન ઈચ્છતુ નથી. ભાજપના પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2018 અંતર્ગત સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવા સામગ્રી તૈયાર કરવામાં આવી છે. આ બુકલેટને ગત 13 જૂનના રોજ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે જાહેર કરી છે. રાષ્ટ્ર સમક્ષ પડકારો..અધ્યાયમાં કહ્યું છે કે ચીન અને પાકિસ્તાન બંને પાસે ન્યૂક્લિયર હથિયાર છે અને ભારતને વૈશ્વિક મહાશક્તિ બનાવાથી રોકવા માટે બંને દેશ ઊંડા કૂટનીતિ સબંધો બનાવી રહ્યાં છે.