આગામી 15 તારીખ બાદ કમુરતા ઉતરતાની સાથે જ રાજ્યમાં મોટા પ્રમાણમાં લગ્નોના આયોજનો થઇ રહ્યા છે. જોકે કોરોનાનું સંક્રમણ કારણે નવી ગાઈડલાઈન થી પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે.
કોરોનાની નવી ગાઈડલાઈનથી મૂંઝવણ
અમદાવાદનો એક પરિવાર મુસીબતમાં
અગાઉની ગાઈડલાઈન મુજબ કંકોત્રી આપી
હવે 150 લોકોને જ મળી મંજૂરી
કયા મહેમાનોને બોલાવવા અને કોને ના પાડવી તે દ્વિઘામા છે.
આગામી 15 તારીખ બાદ કમુરતા ઉતરતાની સાથે જ સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં લગ્નોના આયોજનો થઇ રહ્યા છે. જોકે કોરોનાનું સંક્રમણ વધતા લોકોના અરમાનો પર પાણી ફરી વળ્યુ છે. નવી ગાઈડલાઈન થી ઘણા પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. 400 ના બદલે 150 લોકોની મર્યાદામાં લગ્ન યોજવા નિયમ આવ્યો છે. ત્યારે હવે કેવી રીતે લગ્ન કરવા તે મોટી મૂંઝવણ છે. લોકો મહેમાનોનું લિસ્ટ ઓછુ કરવાના કામે લાગી ગયા છે. કયા મહેમાનોને બોલાવવા અને કોને ના પાડવી તે દ્વિઘામા છે.
કોરોનાની નવી ગાઈડલાઈનને કારણે લગ્નપ્રસંગને અસર
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકારે લગ્ન સહિતના પ્રસંગોમાં 400 લોકોની હાજરીની મર્યાદા ઘટાડીને 150 લોકોની કરી દીધી છે. જેથી અનેક પરિવારોના લગ્નપ્રસંગો અટવાયા છે. 22 થી 24 જાન્યુઆરીના સૌથી વધારે લગ્ન પ્રસંગો છે. નવી ગાઇડલાઇનના કારણે અમદાવાદના વાસુદેવભાઇનો પરિવાર પણ મુંઝવણમાં મુકાયો છે.22 અને 23 જાન્યુઆરીએ દીકરીના લગ્નનો પ્રસંગ છે.800 મહેમાનો સાથે લગ્નની તૈયારી પણ કરી. અને 400 ની ગાઇડલાઈન મુજબ કંકોત્રી પણ વહેંચી હતી.પરંતુ નવી ગાઇડલાઈન મુજબ માત્ર 150 લોકોને જ બોલાવી શકશે.જેથી કંકોત્રી આપી દીધી હોય એવા મહેમાનોને પણ ના પાડવાનો વારો આવ્યો છે.