જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સવારે ઊઠીને એક ઘડી એટલે કે 24 મિનીટ સુધી કોઈ અશુભ વસ્તુ ન જોવી જોઈએ. નહિતર આખો દિવસ તેની નકારાત્મક અસર તમારા મન પર રહે છે. તેનાથી તમારા કામકાજ પર પણ અસર થાય છે. કેટલીક એવી વસ્તુઓ પણ છે કે જેને સવાર - સવારમાં જોવાથી ખર્ચા કે નુકસાન થાય છે. અહીં જાણો એવી કેટલીક અશુભ વસ્તુઓ વિશે...
સવારે જાગીને કાચ સામે જોવું અશુભ માનવામાં આવે છે. વાસ્તુ પ્રમાણે પણ બેડરૂમમાં કાચ રાખવામાં આવે તો નકારાત્મકતા વધે છે.
સવારે જાગીને પડછાયો જોવાથી તણાવ ડર અને કન્ફ્યૂઝન વધે છે. જેનાથી કામકાજ બગડે છે.તેથી સવારે પડછાયો ન જોવા જોઇએ.
સવાગે જાગીને પશુઓ કે તેમના ફોટો પણ ન જોવા જોઇએ. તેમ કરવાથી આખો દિવસ વિવાદ અને ચિંતા વધે છે.
સવારે ઉઠીને શુભ વસ્તુઓ જેવી કે આપણી હથેળી દેવ-દેવતાઓના ફોટો જોવાથી દિવસભર સકારત્મક વિચાર આવવાની સાથે સાથે શાંતિ બની રહે છે.