2014 થી લઈ અત્યાર સુધીમાં વિશ્વના 18 જેટલા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા જેઓએ ગુજરાતના અમદાવાદની મુલાકાત માણી છે.
2014 થી 18 જેટલા દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ભારતની મુલાકાતે
અમદાવાદ નવા ભારતની નવી સો વિન્ડો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં એક સાથે ક્રિકેટ નિહાળી હતી. જેને લઈને ચીન સહિતના વિરોધીઓને સંદેશો આપી દીધો છે. જે નરેન્દ્ર મોદીની કુશળ રાજનીતિક શૈલી છે.મહત્વનું છે કે 2014 થી વિશ્વના 18 જેટલા રાષ્ટ્રયદ્યક્ષો ભારત બોલાવવામાં આવ્યા છે. જેમાં ખાસ વાત એ છે કે ભારતના મહેમાન બનેલા આ મહાનુભાવોની મહેમાનગતિ માટે દિલ્હીના બદલે ગુજરાતના અમદાવાદ શહેરને પસંદ કરવામાં આવ્યું છે. જેને લઇને ગુજરાત અને અમદાવાદ નવા ભારતની નવી સો વિન્ડો બની રહ્યા છે.
અમદાવાદ શહેરને વિશ્વમાં ગાંધીજીના ઘર તરીકે ઓળખવામાં આવે છે
વિશ્વના તમામ શક્તિશાળી દેશોના નેતાઓને માત્ર અમદાવાદ એટલા માટે નથી લઈ આવવામાં આવતા કારણ કે તે પીએમ મોદીના હોમસ્ટેટ છે પરંતુ અન્ય શહેરોની સરખામણીમાં અનેક મૂલ્યોને લઈને સાચા અર્થમાં અમદાવાદ સમગ્ર વિશ્વમાં ભારત માટે ગર્વ કરવા માટે પૂરતું છે. જેમાં ખાસ કરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન કવન અને વારસાને જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત અને અમદાવાદ શહેરને વિશ્વમાં ગાંધીજીના ઘર તરીકે ઓળખવામાં આવે છે અને સરકાર તેમાંથી પણ કેસ કમાઈ રહી છે આથી 2014 બાદ 18 દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના મહાનુભાવો એ દિલ્હીને બદલે અમદાવાદની મુલાકાત લીધી.
ઝડપી વિકાસ પામતું શહેર અમદાવાદ
અમદાવાદ શહેર દેશના સૌથી જૂના શહેરોમાંનું એક ગણવામાં આવે છે. વર્લ્ડ સિટીની સાથે ન્યુ સીટીનું પણ આ શહેરમાં જબરું આકર્ષણ છે. દેશનું એકમાત્ર શહેર હશે જ્યા બીઆરટીએસ અને મેટ્રો બંને એકસાથે ચાલે છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, અટલબ્રિજ અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમએ શહેરની ઓળખને ચાર ચાંદ લગાવ્યા છે. જેને લઈને દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને ચેન્નઈ જેવા શહેરોની તુલનામાં આ શહેર નાગરિક સુવિધાની દ્રષ્ટિએ સૌથી મોટી પાયે વિકાસ કરી રહ્યું છે. જેને લઈને તે વિકાસની દ્રષ્ટિએ દેશને સો વિન્ડો બનાવવા માટે પૂરતું છે.
ગુજરાતમાં મૂડી રોકાણ વધ્યું
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી રોકાણ અને વિકાસની દ્રષ્ટિએ ગુજરાતનું મોડલ ખૂબ જ લોકપ્રિય બન્યું છે મોટા મોટા દેશોમાંથી પણ મોટીવાદી કંપનીઓ ગુજરાતમાં નાણા રોકે અને વિદેશમાંથી પણ મોટાભાઈએ રોકાણ પ્રાપ્ત થયું. જેમાં વેદાંત ફોક્સકોર્ટએ કરેલ 2 અબજ ડોલરના રોકાણના આયોજન અને વાયુસેનાના સી295 ટ્રાંસપોર્ટના એરકરાફટ હવે ગુજરાતમાં બનશે આ બે કરાર મહત્વના સાબિત થયા છે. સીએમઆઈઇના ડેટા જણાવે છે કે ગુજરાત એ સ્થાનિક અને વિદેશી બંને પ્રકારના રોકાણો માટે લોકોને આકર્ષવા ભારતના અન્ય રાજ્યોને પાછળ રાખી દીધા છે. 2022 માં ગુજરાત માટે 3.98 ટ્રીલીયનના નવા રોકાણનું આયોજન હતું જેની સામે 2021 માં 2.91 ટ્રીલીયાના આંકડા કરતાં હવે તે 273 ટકા વધી ગયું છે.
આખી દુનિયાના મોટા બિઝનેસ ઉપર ગુજરાતીઓનો કબજો
બિઝનેસમાં ગુજરાતીઓના મગજને કોઈ ન પહોંચે તે પહોંચે તેવી કહેવત છે જ્યારે ગુજરાતની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ગણના થાય છે. આજે ગુજરાતીઓ વિશ્વની મોટી મોટી કંપનીઓમાં ટોચનું સ્થાન ધરાવે છે.