શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, રાહુલ ગાંધી કોંગ્રેસને ડુબાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે પંજાબની સુવ્યવસ્થિત સરકારને પરેશાન કરી છે.
પૃથ્વીપુરની એક રેલીમાં શિવરાજ સિંહ ચૌહાણે રાહુલગાંધી પર કટાક્ષ કર્યો
જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ ગાંધી છે ત્યાં સુધી અમારે કંઈ કરવાની જરૂર નથી
અમરિંદર સિંહે રાજીનામાં આપ્યાં બાદ નવજોતસિંહે પણ રાજીનામું આપ્યું
પૃથ્વીપુરની એક રેલીમાં શિવરાજ સિંહ ચૌહાણે રાહુલગાંધી પર કટાક્ષ કર્યો
પંજાબ કોંગ્રેસમાં રાજકીય ગરમાવો ચાલુ છે. પ્રદેશ અધ્યક્ષ પદથી નવજોત સિંહ સિદ્ઘુના રાજીનામા બાદ ચાલી રહેલા ઘટનાક્રમ પર બીજેપીના નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કટાક્ષ કર્યો છે. ચૌહાણે બુધવારે એક સભાને સંબોધતાં કહ્યું હતું કે, જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ ગાંધી છે. ત્યાં સુધી ભાજપને કંઈ કરવાની જરૂર નથી
જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ ગાંધી છે ત્યાં સુધી અમારે કંઈ કરવાની જરૂર નથી
મધ્યપ્રદેશમાં એક લોકસભા અને ત્રણ વિધાનસભા બેઠકો પર ચૂંટણીપંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાતના એક દિવસ બાદ બુધવારે પૃથ્વીપુર વિધાનસભા ક્ષેત્રમાં એક સામાન્ય સભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, રાહુલ ભૈયા કોંગ્રેસને ડુબાડવામાં વ્યસ્ત છે. તેમણે પંજાબની સુવ્યવસ્થિત સરકારને પરેશાન કરી છે. રાહુલગાંધીએ સિંદ્ધુ માટે અમરિંદરને પડતાં મુક્યાં હતાં. જેઓ બાદમાં પોતે પાર્ટી છોડીને ચાલ્યાં ગયાં. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે,જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ ગાંધી છે. ત્યાં સુધી અમારે કંઈ કરવાની જરૂર નથી .
અમરિંદર સિંહે રાજીનામાં આપ્યાં બાદ નવજોતસિંહે પણ રાજીનામું આપ્યું
ઉલ્લેખનીય છે કે, કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના થોડા દિવસો બાદ નવજોત સિંહ સિદ્ધુએ પણ ગત મંગળવારે પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ પદેથી અચાનક રાજીનામું આપી દીધું હતું. આ પહેલા મંગળવારે ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાં ત્રણ લોકસભા બેઠકો અને 30 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આ બધા માટે 30 ઓક્ટોબરે મતદાન થવાનું છે. તેમાં મધ્યપ્રદેશની ખંડવા લોકસભા બેઠક અને અલીરાજપુર જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકો જોબત, નિવારી જિલ્લામાં પૃથ્વીપુર અને સતના જિલ્લામાં રાયગાવનો સમાવેશ થાય છે.