ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરના હાહાકાર વચ્ચે 13 રાજ્યોમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે.
13 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક પણ મોત નહીં
કોરોના વાયરસના કેસ પણ આ રાજ્યોમાં ઓછા
ભારતમાં ચાલી રહી છે કોરોનાની બીજી લહેર
13 રાજ્યોમાં એક પણ મોત નહીં
દેશભરમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના કારણે દરરોજ વધતાં કેસ વચ્ચે 13 રાજ્યો એવા છે જ્યાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી એક પણ મોત નથી થઈ.
કયા 13 રાજ્યોથી આવ્યા રાહતના સમાચાર
જે તે 13 રાજ્યોમાં કોરોના વાયરસના કારણે મોત નથી થઈ તેમાં ઓડિશા, આસામ, લદ્દાખ, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, નાગાલેંડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, લક્ષદ્વીપ, અંદામાન નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આ સાથે જ આ રાજ્યોમાં નવા કેસની સંખ્યા પણ ઓછી જોવા મળી રહી છે.
આઠ રાજ્યોએ વધારી ચિંતા
ભારતમાં કોરોના વાયરસનો સૌથી વધારે ચિંતા જે રાજ્યોમાં જોવા મળી રહી છે તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, દિલ્હી, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશ એમ આઠ રાજ્યોનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં આજે દેશના કુલ કેસ કરતાં 81.42 ટકા કેસ સામે આવ્યા છે.
ભારતમાં રેકોર્ડબ્રેક કેસ
છેલ્લા 7 મહિનામાં આજે સામે આવ્યા સૌથી વધુ કોરોનાના કેસ. આંકડા અનુસાર, આનાથી વધુ 20 સપ્ટેમ્બર 2020ના એક દિવસમાં સંક્રમણના 92,605 નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવાર સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સંક્રમણથી 714 દર્દીઓના મોત થયા છે. જેને લઇને મૃત્યુઆંક 1,64,110 પર પહોંચ્યો છે. આ પહેલા 21 ઓક્ટોબરે 24 કલાકમાં સંક્રમણથી 717 દર્દીઓના મોત થયા હતા.
મહારાષ્ટ્રમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 47 હજાર 913 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં જ 24 કલાકમાં 481 મૃત્યુ થયા છે. પુણેમાં રેકોર્ડબ્રેક 9 હજાર 126 નવા કેસ અને મુંબઈમાં રેકોર્ડબ્રેક 8 હજાર 948 નવા કેસ નોંધાયા છે. આમ મહારાષ્ટ્રમાં કુલ કેસ 29 લાખને પાર પહોંચ્યા છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 3.89 લાખ છે.
ગુજરાતમાં શુક્રવારે સૌથી વધુ 2640 કેસ નોંધાયા હતા
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કાળ બનીને વકરી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2640 કેસ નોંધાયા છે અને 2066 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,94,650 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 11 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4539 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.