દિલ્હીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિ અનાવરણ પ્રસંગે બંગાળના સીએમ મમતા બેનરજીને હાજર રહેવાનું આમંત્રણ મળવા પર તેઓ ભડક્યાં હતા.
બંગાળના સીએમ મમતા બેનરજી કેન્દ્રના આમંત્રણ પર થયા લાલઘુમ
કેન્દ્ર સરકારે નેતાજીની મૂર્તિ ઉદ્ધાટન પ્રસંગે મમતાને આપ્યું હતું આમંત્રણ
મમતાએ આમંત્રણ ન સ્વીકારતા કહ્યું- હું કંઈ વેઠિયા મજૂર છું
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ફરી એક વાર કેન્દ્ર સરકાર સામે ટકરાયા છે. આ વખતે બાંગ્લાદેશી પીએમ શૈખ હસીનાના કાર્યક્રમમાં પોતાના આમંત્રણ ન આપવા બદલ મમતા કેન્દ્ર સરકાર પર ભડક્યાં હતા જોકે શુક્રવારના પીએમ મોદીના નેતાજીની મૂર્તિ ઉદ્ધાટન પ્રસંગે કેન્દ્ર દ્વારા મમતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં પણ તેઓ ભડક્યાં હતા અને શું પોતે કોઈ વેઠિયા મજૂર એવું કહી નાખ્યું હતું. આ વખતે દિલ્હીમાં નેતાજીની મૂર્તિના ઉદ્ધાટન અને બાંગ્લાદેશી પીએમ શૈખ હસીનાની ભારત મુલાકાતના મુદ્દે તેઓ કેન્દ્ર પર નારાજ થયા હતા. ગુરુવારે ટીએમસીના વિશેષ સત્રને સંબોધિત કરતા મમતા બેનરજીએ કહ્યું કે મને ખોટું લાગે છે કે જ્યારે તેઓ દિલ્હીમાં નેતાજીના મૂર્તિ બનાવી રહ્યાં છે. પહેલેથી મોજૂદ મૂર્તિનું શું. મને એક અંડર સેક્રેટરીનો પત્ર મળ્યો જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી આજે પ્રતિમાનું ઉદ્ધાટન કરશે અને કાર્યક્રમ શરુ થતા પહેલા તમે ત્યાં આવી જાવ. મમતાએ કહ્યું કે શું હું કોઈ વેઠિયા મજૂર છું કે તેઓ જ્યાં કહે ત્યાં હું આવી જઉ.
Kolkata, WB | In 2024 we will play a game that will start from Bengal. Hemant (Soren), Akhilesh (Yadav), Nitish (Kumar), I & other friends will unite then. How will they (BJP) form govt then? There’s no need for BJP govt: CM Mamata Banerjee pic.twitter.com/qfuGsyI2S8
શૈખ હસીના સાથેના કાર્યક્રમમાં મને કેમ હાજર ન રખાઈ- મમતા દીદીનો સવાલ
મમતા બેનરજીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને તેમની ભારત મુલાકાતનો ભાગ બનવા માટે આમંત્રણ ન આપવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. મમતા બેનરજીએ કહ્યું કે હું જાણવા માંગુ છું કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર હસીના સાથેની તેમની મુલાકાતથી શા માટે ચિંતિત છે. "બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે મારા ખૂબ સારા સંબંધો છે, પરંતુ કેન્દ્રએ મને તેમની મુલાકાતનો ભાગ બનવા આમંત્રણ આપ્યું ન હતું.
2024ની ચૂંટણીમાં મોટો ખેલ ખેલીશું- મમતા બેનરજી
મમતા બેનરજીએ કહ્યું કે હું વિદેશી બાબતો અથવા દ્વિપક્ષીય સંબંધો વિશે વાત કરવા માંગતી નથી. પરંતુ મેં જોયું છે કે જ્યારે પણ મને કોઈ દેશમાં આમંત્રિત કરવામાં આવે છે, ત્યારે કેન્દ્ર સરકાર મને રોકવાનો પ્રયાસ કરે છે. "હું જાણવા માંગુ છું કે કેન્દ્ર સરકાર શા માટે મને વિદેશી મહાનુભવોને મળવા દેતી નથી. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં અમે એક એવો ખેલ રમીશું જેની શરૂઆત બંગાળથી થશે. જેમાં હેમંત સોરેન, અખિલેશ યાદવ, નીતિશ કુમાર, હું અને અન્ય મિત્રો પછી એક થઈ જઈશું. તો પછી ભાજપ સરકાર કેવી રીતે બનાવશે? આવી સ્થિતિમાં ભાજપની સરકારની જરૂર નથી.