કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થવાના કારણે અનલૉક 1ની રાહતને લઈને આ 4 રાજ્યો મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. છૂટછાટના કારણે કેસમાં વધારો થવાની સાથે જ કડક પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ આ રાજ્યો કરી રહ્યા છે.
દેશમાં કોરોનાની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો
4 રાજ્યોએ લીધો મોટો નિર્ણય
અનલૉક 1ની છૂટને લઈને લેવાશે કડક પગલાં
દેશમાં કોરોનાના કેસનો રેકોર્ડ રોજ તૂટી રહ્યો છે. ગુરુવારે લગભગ 10 હજાર નવા કેસ આવ્યા છે. એવામાં ભારતમાં સંક્રમિતોની સંખ્યા 3 લાખની નજીક છે. દર્દીની સંખ્યામાં પણ અનલૉક 1 બાદ વધારો જોવા મળી રહ્યો છે. એવામાં 4 રાજ્યોએ ફરીથી કડક પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ કરી છે. કેટલાક રાજ્યોમાં સરકારે ફરી એકવાર તમામ છૂટ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. આ 4 રાજ્યોમાં પંજાબ, કેરળ, તમિલનાડુ અને ઝારખંડનો સમાવેશ થાય છે.
પંજાબ સરકાર
અહીં સ્વાસ્થ્ય વિભાગે ડેટાના આધારે શંકા જણાવી છે કે રાજ્યમાં કોરોનાનો પીક બાકી છે. કહેવાયું છે કે 2 મહિના બાદ કોરોનાના દર્દીની સંખ્યામાં ભારે વધારો થશે. એવામાં કેપ્ટન અમરિંદર સિંહની સરકારે એક વાર ફરીથી પાબંદી લગાવી છે. સરકારે વીકેન્ડ અને રજામાં લૉકડાઉનને કડક રીતે લાગૂ કરવાનો આદેશ આપ્યો છે. અહીંની રાજ્ય સરકાર દિલ્હીથી આવનારા લોકોને માટે કડક પ્રતિબંધ લગાવવા માટે વિચાર કરી રહી છે. મેડિકલ સ્ટાફ અને આવશ્યક સેવાઓ સિવાય નાગરિકોને કોવા એપથી ઈ પાસ ડાઉનલોડ કરવાના રહેશે.
તમિલનાડુ સરકારે હાઈકોર્ટ પાસે માંગ્યો જવાબ
તમિલનાડુમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એવામાં મદ્રાસ હાઈકોર્ટે સરકારને પૂછ્યુંકે શા માટે ફક્ત ચેન્નઈને લૉકડાઉન કરવામાં આવે. જસ્ટિસ વિનિત કોઠારી જસ્ટિસ આર સુરેશ કુમારે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણને કાબૂમાં લેવા માટે તમિલનાડુ સરકારે પગલાં લીધા છે. ખાસ કરીને મહાનગર અને તેના બહારના વિસ્તારમાં સંક્રમણના કેસની સંખ્યા ઝડપથી ફેલાઈ રહી છે. સ્થિતિ ચિંતાજનક બની છે. સરકારે શુક્રવાર સુધી જવાબ આપવાનો છે. તમિલનાડુમામં 25 હજારથી વધારે કેસ છે જેમાંથી 70 ટકા દર્દી ચેન્નઈમાં છે.
કેરળમાં પણ સ્થિતિ ખરાબ
કેરળ સરકારે આ મહિને ભગવાન અયપ્પા મંદિર એટલે સબરીમાલાને ખોલવાનું ટાળ્યું છે. દેશમાં કોરોનાનો પહેલો કેસ કેરળમાં જ આવ્યો હતો. ગયા મહિને અહીં સંક્રમણ રોકાઈ ગયું હતું પણ પછી પ્રવાસીઓ આવતાં કેરળમાં ફરી નવા કેસની સંખ્યામાં વધારો થયો છે. હવે રાજ્યમાં કોરોનાના કુલ 1238 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આ ખતરનાક વાયરસથી 18 લોકોના મોત થયા છે. એવામાં રાજ્ય સરકાર ફરીથી લૉકડાઉનને ફરીથી લાગૂ કરવા અને બોર્ડર બંધ કરવા માટે વિચાર કરી રહી છે.
ઝારખંડમાં સ્થિતિ વધુ ખરાબ
શિબૂ સોરેન સરકારે એક વાર ફરીથી રાજ્યમાં લૉકડાઉનને કડક રીતે લાગૂ કરવાનો આદેશ આપ્યો છે. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 48 નવા કેસ સામે આવ્યા છે અને સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 1599 થઈ છે. રાજ્યમાં હાલ સુધીમાં 1599 સંક્રમિતોમાંથી 1311 પ્રવાસી મજૂર છે. જે દેશના અલગ ભાગથી પરત ફર્યા છે.