દેશમાં કોરોનાના કેસો ભયાનક થઇ રહ્યાં છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખની પાર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52,972 નવા દર્દીઓ સામે આવ્યાં છે અને 771 દર્દીઓના મૃત્યું થયા છે. એક દિવસમાં સૌથી વધુ કેસના મામલામાં ભારતે હવે અમેરિકા અને બ્રાઝિલને પાછળ છોડી દીધું છે.
કોરોનાથી વણસતી સ્થિતિ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. ઇંડિયા ટુડેની રિપોર્ટને શેર કરતાં રાહુલ ગાંધીએ કેન્દ્ર પર આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું છે કે 'સાચા સમયમાં સાચા નિર્ણયનો મતલબ છે કે ભારત અન્ય દેશોની સરખામણીએ સારો છે' પીએમ.
“The right decisions at the right time means India is better off than other countries.” PM pic.twitter.com/ckFWi7Aztq
3 ઓગસ્ટ સુધીમાં ભારતમાં 52 હજાર 971, અમેરિકામાં 47 હજાર 511, બ્રાઝિલમાં 25 હજાર 800, પેરુમાં 21 હજાર 358, કોલંબિયામાં 11 હજાર 470, દક્ષિણ આફ્રિકામાં 8195, રશિયામાં 5387, આર્જેન્ટિનામાં 5376, ફિલિપાઇન્સમાં 4953 અને મેક્સિકોમાં 4853 નવા કેસ સામે આવ્યાં. આ રીતે એક દિવસમાં સૌથી કેસના મામલામાં ભારતે અમેરિકા અને બ્રાઝિલને પણ પાછળ છોડી દીધું છે.
ભારતમાં કુલ કોરોનાના દર્દીઓનો આંકડો 18 લાખથી વધારે છે, જેમાં 38 હજાર 135 લોકોનાં મૃત્યું થયા છે. અત્યાર સુધીમાં 12 લાખ લોકો ઠીક થઇ ગયા છે, જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 5.79 લાખથી વધારે છે.