અમદાવાદ શહેરમાં કોરોના બેફામ બનતા AMCએ AMTS-BRTS બસો 50% ક્ષમતા સાથે ચલાવવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પ્રતિબંધો લાગૂ
AMTS અને BRTS હવે 50 ટકા ક્ષમતા સાથે ચાલશે
AMCએ કોરોના વધતા કેસને લઈ નિર્ણય કર્યો
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. AMTS અને BRTS હવે 50 ટકા ક્ષમતા સાથે ચાલશે તેવો નિર્ણય આજે મળેલી બેઠકમાં કરવામાં આવ્યો છે. ગઈકાલે અમદાવાદ જિલ્લામાં 1314 કોરોનાના કેસ નોંધાયા હતા જેમાંથી શહેરમાં 1290 કેસ એકી સાથે સામે આવતા તંત્ર હવે સાબદું થઈ ગયું છે. આગામી દિવસોમાં વધારે પ્રતિબંધો લગાવવા AMC તૈયારી કરી રહ્યું છે.
AMTS અને BRTSની બસમાં મુસાફરી કરનાર લોકોએ હવે ફરજિયાત માસ્ક પહેરવું પડશે તથા નિયમ મુંબ સોશિયલ અંતરની જાળવણી પણ કરવી પડશે. સાથે જ મુસાફરી કરતાં પહેલા વેક્સિનના બંને ડોઝ લીધા હશે તો જ ટીકીટ મળશે તેવો નિર્ણય પણ AMC દ્વારા લેવામાં આવ્યો છે.ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે.અને તેમાં અમદાવાદ ફરી કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે.કારણ કે, અમદાવાદમાં કોરોનાનો રાફળો ફાડ્યો છે.એક તરફ સમગ્ર ગુજરાતના અન્ય જિલ્લાઓના સાથે મળીને જેટલા કેસ છે.તેની સામે માત્ર અમદાવાદ જિલ્લામાં જ તેનાથી વધુ કેસો આવી રહ્યા છે.
અમદાવાદમાં કોરોનાનો કહેર
04-01-2022
1314
03-01-2022
644
02-01-2022
600
01-01-2022
559
31-12-2021
317
30-12-2021
278
29-12-2021
278
28-12-2021
182
27-12-2021
100
26-12-2021
53
8 મહાનગરમાં 11થી 5 રાત્રિ કર્ફ્યૂ લાગુ
ગુજરાતમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં 8 મહાનગરોમાં રાત્રિ કફર્યુંના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં મનપા વિસ્તારોમાં પ્રતિબંધો કડક બનાવવામાં આવ્યા છે. નાઈટ કર્ફ્યૂના સમયમાં રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરી નાખવામાં આવ્યો છે. આ પહેલાની ગાઈડલાઇનમાં નાઈટ કર્ફ્યૂનો સમય 1 થી 5 હતો. જેમાં વધારો કરવામાં આવ્યો છે. જે વધારો 7 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવ્યો છે હવે બે દિવસ બાદ આ હજુ પણ કડક નિયમો લાદવામાં આવે તેવી શક્યતા છે.