દિલ્હીમાં ગણતંત્ર દિવસના સેલિબ્રેશનની વચ્ચે નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ટ્રેક્ટર રેલી કરી હતી. જેમાં ભડકેલી હિંસાને પગલે 2 મહિનાથી ચાલી રહેલું પ્રદર્શન નબળું પડ્યું છે. પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધું છે કે કેન્દ્રના કૃષિ કાયદાને પાછા લેવા તેમનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. બજેટના દિવસે સંસદ સુધી રેલી કાર્યક્રમ થવાનો હતો પણ આ હિંસા બાદ આ કાર્યક્રમ રદ્દ થઈ શકે છે.
સરકાર 26 જાન્યુઆરીની આ ઘટનાઓને લઈને ખેડૂતોને જલ્દી જ સવાલ કરશે
હિંસાને લઈને 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી
અમિત શાહે હિંસામાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા
ખેડૂતોનું કૃષિ કાયદાની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યથાવત રહેશે તેવા સંકેતો આપ્યા છે. એટલું જ નહીં તેઓએ બજેટના દિવસે સંસદ માર્ચનું એલાન કર્યુ હતુ. જો કે 26મી જાન્યુઆરીએ બનેલી હિંસાની ઘટના બાદ ખેડૂત સંગઠન બુધવારે મોટી બેઠક કરી રહ્યું છે. જેમાં નક્કી કરવામાં આવશે કે કેવી રીતે આ આંદોલનને આગળ વધારવામાં આવે તેમજ અહીં નિર્ણય લેવાશે કે સંસદ માર્ચ કરવામાં આવશે કે નહીં.
સરકાર 26 જાન્યુઆરીની આ ઘટનાઓને લઈને ખેડૂતોને જલ્દી જ સવાલ કરશે
દિલ્હીમાં અનેક જગ્યાઓ પર ખેડૂતો અને પોલીસની વચ્ચે અથડામણ થઈ હતી. જેના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં બબાલ થઈ ગઈ હતી. હિંસાનો દોર લગભગ આખો દિવસ ચાલ્યો હતો. હિંસાના કારણે ખેડૂત આંદોલન નબળુ પડ્યું છે. ત્યારે સરકાર પણ 26 જાન્યુઆરીની આ ઘટનાઓને લઈને ખેડૂતોને જલ્દી જ સવાલ કરશે.
હિંસાને લઈને 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી
બુધવારે દિલ્હી પોલીસે જણાવ્યું કે ગત રેલી દરમિયાન હિંસાને લઈને 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ત્યારે ઈન્દ્રપ્રસ્થ પોલીસે પણ અજ્ઞાત પ્રદર્શનકારીઓની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ પ્રદર્શન કારીઓમાં ટ્રેક્ટર ચઢવાના કારણે મરનારા ખેડૂતનું નામ પણ સામેલ છે. આ જાણકારી પોલીસ તરફથી મળી છે. આ ઘટનાઓ બાદ હવે સરકાર અને પ્રશાસન પણ એક્શન મોડમાં નજરે પડી રહી છે.
1500થી 2000 પેરામિલેટ્રી જવાનોને તૈનાત કરવા માટે લાવવામાં આવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં દિલ્હી પોલીસના અધિકારીઓએ હિંસામાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. મંગળવારે થયેલી બેઠકમાં ગૃહ સચિવ અજય ભલ્લા, દિલ્હી પોલીસ, આયુક્ત એસએન શ્રીવાસ્તવ પણ સામેલ હતા. સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં સંવેદનશીલ જગ્યાઓ પર 1500થી 2000 પેરામિલેટ્રી જવાનોને તૈનાત કરવા માટે લાવવામાં આવ્યા છે.
આંદોલનમાં ભાગ લેનારા ખેડૂતો પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના
આંદોલનમાં ભાગ લેનારા ખેડૂતો પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના છે. આ તમામ 3 કૃષિ કાયદાને પાછો લેવા અને એમએસપી પર કાયદાકીય ગેરન્ટીની માંગ કરી રહ્યા છે. જો કે આ મુદ્દાને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે 10 વાર વાતચીત થઈ ચૂકી છે પણ કોઈ ખાસ નિર્ણય કે પરિણામ આવ્યું નથી.