અગ્નિવીર યોજનાની સામે યુવાનોના આક્રોશને ઠંડો પાડવા સરકારે હવે બીજી મોટી જાહેરાત કરી છે.
દેશમાં સરકારની અગ્નિવીર યોજના સામે ચાલી રહ્યો છે યુવાનોનો દેખાવ
સરકારે અગ્નિવીરો માટે જાહેર કર્યો બીજો મોટો નિર્ણય
સંરક્ષણ મંત્રાલયની નોકરીઓમાં મળશે 10 ટકા અનામત
ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ અને 16 ડિફેન્સ પબ્લિક સેક્ટર ઉપક્રમોમાં પણ મળશે અનામત
સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સમાંને પણ મળશે 10 ટકા અનામત
હાલમાં કેન્દ્રની અગ્નિવીર યોજનાની સામે દેશભરમાં યુવાનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે ત્યારે સરકાર પણ હવે ડેમેજ કન્ટ્રોલના મૂડમાં આવી છે. સરકાર અગ્નિવીરોની ચિંતા હળવી કરવા વધુ એક જાહેરાત કરી છે. અગ્નિવીરોને સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સમાં 10 ટકા અનામતની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાહેરાત બાદ હવે સંરક્ષણ મંત્રાલયે પણ પણ બીજી મોટી જાહેરાત કરી છે.
The 10% reservation will be implemented in the Indian Coast Guard and defence civilian posts, and all the 16 Defence Public Sector Undertakings. This reservation would be in addition to existing reservation for ex-servicemen: RMO India
સંરક્ષણ મંત્રાલયની ભરતીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામત
કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર, સંરક્ષણ મંત્રાલયની ભરતીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામતના પ્રસ્તાવને રક્ષામંત્રી રાજનાથ સિંહે મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાસેથી મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે. ત્યાર બાદ આ નિર્ણય અમલમાં આવશે.
10% of the job vacancies in the Ministry of Defence to be reserved for ‘Agniveers’ meeting requisite eligibility criteria: RMO India pic.twitter.com/PGSzhBSHke
ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ અને 16 ડિફેન્સ પબ્લિક સેક્ટર ઉપક્રમોમાં પણ મળશે અનામત
સંરક્ષણ મંત્રાલય દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે જેમાં વિભાગમાંથી અગ્નિવિરો માટે લેવામાં આવેલી ભરતીઓની વ્યવસ્થા અનામત માટે કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અગ્નિવીરોને ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ અને 16 ડિફેન્સ પબ્લિક સેક્ટર ઉપક્રમોમાં પણ અનામત આપવામાં આવશે આ માટે જાહેર ઉપક્રમોને પણ જરૂરી સુધારા કરવાનું કહેવામાં આવશે.
Necessary amendments to relevant recruitment rules will be undertaken to implement these provisions. Defence Public Sector Undertakings will be advised to make similar amendments to their respective recruitment rules. Necessary age relaxation provision will also be made:RMO India
અગ્નિપથ યોજનાને લઇને રક્ષામંત્રી રાજનાથસિંહે ઇમરજન્સી બેઠક બોલાવી
અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે એટલે કે (શનિવારે) સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે. મહત્વનું છે કે,આજે સવારે 11.30 કલાકે બોવલાવેલી બેઠકમાં અગ્નિપથ યોજના અને દેશમાં ચાલી રહેલા હોબાળાને લઈને ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ મિલિટરી રિક્રુટમેન્ટ યોજનાના વિરોધમાં વેગ પકડવાને કારણે આર્મી, નેવી અને એર ફોર્સે શુક્રવારે આ નવા 'ફોર્મેટ' હેઠળ પસંદગી પ્રક્રિયાને આગામી સપ્તાહ સુધીમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનોને તેમની તૈયારી શરૂ કરવા માટે અપીલ કરી હતી.
CAPF અને આસામ રાઇફલ્સમાં અગ્નિવીરોને મળશે 10 ટકા અનામત
ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં જાહેરાત અનુસાર, CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે અને અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે આ છૂટછાટ 5 વર્ષની રહેશે.