દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા સંદિપ ભારદ્વાજે આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
દિલ્હીમાં એમસીડી ચૂંટણી વચ્ચે મોટી ઘટના
AAP નેતા સંદીપ ભારદ્વાજે આપઘાત કર્યો
પોતાના ઘેરથી મળી લાશ
આમ આદમી પાર્ટી માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં એમસીડી ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સંદિપ ભારદ્વાજે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આત્મહત્યાનો કેસ દાખલ તપાસ શરુ કરી દીધી છે.
ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
દિલ્હી પોલીસે જણાવ્યું કે સાંજે 4.40 વાગ્યાની આસપાસ કુકરેજા હોસ્પિટલમાંથી પીસીઆર કોલ આવ્યો હતો કે આપ નેતા સંદિપ ભારદ્વાજે તેમના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.
ટિકિટ ન મળતાં નારાજ થયા હતા સંદિપ
જણાવવામાં આવી રહ્યું છે કે સંદીપને દિલ્હી નગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટી તરફથી ટિકિટ મળવાની હતી પરંતુ તેમને ટિકિટ ન મળતાં નારાજ થયા હતા.
કોણ હતા સંદીપ ભારદ્વાજ?
આમ આદમી પાર્ટીના નેતા સંદીપ ભારદ્વાજ દિલ્હી રાજ્યના ટ્રેડ વિંગના સેક્રેટરી હતા. તેઓ બીબી 10/15, રાજોરી ગાર્ડનમાં ભારદ્વાજ માર્બલ્સના માલિક હતા. પોલીસને મળેલી માહિતી પ્રમાણે તેમના છૂટાછેડા થઇ ગયા હતા. આ સાથે જ તેમની સાથે
બે અપરિણીત બહેન અને 20 વર્ષનો પુત્ર રહેતો હતો. હાલ આ અંગે આમ આદમી પાર્ટી તરફથી કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોઈ મોટા નેતાએ આગળ આવીને શોક વ્યક્ત કર્યો નથી.