આર્યન ખાનને હાલ આર્થર રોડ જેલમાં શિફટ કરવામાં આવ્યો છે. પરંતુ સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે જેલમાં આર્યન ખાન યોગ્ય ખાવાનું નથી ખાઈ રહ્યો જેને લઈને જેલના અધિકારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
જેલમાં આર્યન ખાનની હાલત ખરાબ
માત્ર પારલેજી ખાઈને દિવસ કાઢે છે આર્યન ખાન
જેલના અધિકારીઓ તેની તબિયતને લઈને ચિંતામાં
શાહરૂખના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે. ત્યારે હવે જેલમાં તેની હાલતને લઈને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે જેલમાં પહોચ્યા બાદ આર્યન ખાને યોગ્ય ખાવાનું પણ નતી ખાધું. છેલ્લા 4 દિવસથી તે કેન્ટીનમાંથી ખરીદેલા બિસ્કિટ ખાઈ રહ્યો છે.
પાણીની માત્ર 3 બોટલ બચી
સમગ્ર મામલે જેલ અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેને સમજાવી રહ્યા છે. પરંતું કે ભૂખ નથી લાગી તે વાતને લઈને કશું ખાઈ નથી રહ્યો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર સવારે આમદ વોર્ડના કોન્સ્ટેબલે તેને પારલે જી બિસ્કીટ આપ્યા હતા. આપને જણાવી દઈએ કે આર્યન પાસે પાણીની પણ માત્ર 3 બોટલ બચી છે. તે જ્યારે જેલમાં ગયો હતો ત્યારે તેણે 12 બોટલો ખરીદી હતી.
જેલમાં માત્ર 2500 રૂપિયાની છૂટ
જેલના નિયમો પ્રમાણે કેદી તેની સાથે માત્ર 2500 રૂપિયા લઈને જઈ શકે છે. આ રૂપિયા પણ જેલના એકાઉન્ટમાં જમા થાય છે. જેના થકી કેદીને કૂપન આપવામાં આવે છે. જે કપૂન દ્વરા તે જેલની કેન્ટીનમાંથી ખાવાનું ખરીદી શકે સાથેજ તેલ સાબુ અને ટૂથપેસ્ટ જેવી વસ્તુઓ પણ તે ખરીદી શકે.
જેલ અધિકારીઓ ચિંતામાં
સૂત્રો દ્વારા એવી માહિતી પણ સામે આવી છે, કે આર્યન ખાનનું પેટ પણ સાફ નથી થયું જેના કારણે જેલના અધિકારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. આર્યન ખાનવની સાથે અરબાઝને પણ રાખવામાં આવ્યો છે. તે ચાર દિવસથી નાહ્યો નછથી જોકે નિયમ અનુસાર આર્યન ખાનને રોજ દાઢી કરાવી પડે છે.