આર્યન ખાનને જામીન માટે બોમ્બે હાઈકોર્ટે આકરી શરતો મૂકી છે.
બોમ્બે હાઈકોર્ટે જારી કરેલા બેલ ઓર્ડરમાં એવું જણાવાયું છે કે આર્યન ખાને કોર્ટમાં તેનો પાસપોર્ટ જમા કરાવી દેવો પડશે અને ડ્રગ્સ કેસના તપાસનીશ અધિકારીની મંજૂરી વગર મુંબઈ છોડીને બહાર નહીં જઈ શકે.
Mumbai | We're hoping that after 3 pm, we will get the orders. Hopefully, if we get it max by 4: 30 pm then we've sufficient time to prepare papers and then we'll immediately head to jail authorities and will get them out today: Munmun Dhamecha's lawyer Kaashif Khan Deshmukh pic.twitter.com/Yz6hPMUVX6
જામીન શરતોની ઉપરાંત, બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાન માટે ફરજિયાત કર્યું છે કે તે મીડિયા સમક્ષ તેની કાર્યવાહી સંબંધિત કોઈ સ્ટેટમેન્ટ નહીં આપી શકે. તે ઉપરાંત આર્યનખાન, અરબાઝ મરચ્ન્ટ અને મુનમુન ધામેચાએ દર શુક્રવારે એનસીબીની ઓફિસમાં હાજરી આપવી પડશે. આ તમામે અનિવાર્ય કારણો સિવાય તમામ તારીખે હાજરી આપવી પડશે. એક વાર ટ્રાયલ શરુ થયા બાદ તેઓ ટ્રાયલમાં વિલંબ નહીં કરી શકે.
We're expecting to receive orders of HC from HC registry today evening. As soon as we get the orders we'll produce it in Spl NDPS court for completing other formalities & get release orders for Aryan Khan: Adv Satish Maneshinde, who represented Khan in drugs-on-cruise case to ANI
તે ઉપરાંત બોમ્બે હાઈકોર્ટે ત્રણેયને 1 લાખના બોન્ડ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.
બોમ્બે હાઈકોર્ટે બેઈલ ઓર્ડરમાં એવું પણ જણવ્યું છે કે જો આમાની કોઈ શરતોનું ઉલ્લંઘન થશે તો એનસીબી તેમના જામીન રદ કરી શકશે. તે ઉપરાંત હાઈકોર્ટે ત્રણેયને એવો પણ ઓર્ડર કર્યો કે તેઓ ક્રુઈઝ પાર્ટીની જેમ બીજી કોઈ ગતિવિધિ નહીં કરી શકે.