ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનની મુશ્કેલીઓ દિવસેને દિવસે ઘટી રહી છે ત્યારે હવે આર્યન ખાનને કેદી નંબર N956 ફાળવવામાં આવ્યો છે.
મુંબઈની આર્થર જેલમાં રહેશે કિંગ ખાનનો દીકરો
આર્યન ખાનને કેદી નંબર N956 ફાળવવામાં આવ્યો
20 ઓક્ટોબરે થશે આગામી સુનાવણી
કિંગ ખાનનો પુત્ર આર્યન સુરક્ષાના કારણોને જોતા અન્ય આરોપીઓની સાથે આર્થર રોડ જેલની બેરેકમાં જ રહેશે. જો કે, સુરક્ષાના કારણોને જોતા તેને જે બેરેકમાં રાખવામાં આવ્યો છે તે જાહેર કરવામાં આવ્યું નથી.
જણાવી દઈએ કે, આર્યન ખાનનો કેસ જાણે કોઇ બોલીવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટ હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક વળાંક સામે આવી રહ્યાં છે. તે વચ્ચે આર્યનની જામીન અરજી ફરીથી રિજેક્ટ થઇ છે.
કોર્ટમાં થઇ જોરદાર દલીલ
NCBએ કોર્ટમાં પોતાના પોઇન્ટ મૂક્યા અને આર્યનના વકીલે તેમના પોઇન્ટ મૂક્યા હતા. NCBએ કહ્યું કે આ કેસના તાર ફોરેન સુધી જોડાયેલા છે. તપાસ કરવા માટે હજુ તેમને સમય જોઇએ છે અને એટલે આર્યનને જામીન ન મળવા જોઇએ.
5 દિવસ રહેવું પડશે જેલમાં
શનિવાર અને રવિવારે કોર્ટ બંધ રહે છે જે 23 તેમજ 27 તારીખે કોમ્પ ઓફ તરીકે ચાલું રહેશે. તે સિવાય કોર્ટ શુક્રવાર અને સોમવારે પણ પબ્લિક હોલી ડે છે તેના કારણે બંધ રહેશે. માટે 4 દિવસ માટે આર્યન ખાને જેલમાં જ રહેવું પડશે.