શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ લેવાના આરોપમાં અત્યારે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન ખાનને લઇને કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તેઓ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની કસ્ટડીમાં હતા. તો એજન્સી દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ.
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ
આર્યન ખાને NCBના જોનલ ડાયરેક્ટરને આપ્યું વચન
હું સારો માણસ બનીશ અને ગરીબોની મદદ કરીશ
આર્યન ખાને એનસીબીના જોનલ ડાયરેક્ટરને આપ્યું વચન
એક રિપોર્ટ મુજબ, આર્યન ખાને એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને વચન આપ્યું છે કે તેઓ સારું કામ કરશે અને એક દિવસ તેમને તેની પર ગર્વ થશે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આર્યન ખાને એનસીબીને વચન આપ્યું છે કે તેઓ જેલમાંથી બહાર આવ્યાં બાદ એક સારા માણસ બનશે. આર્યન ખાને વધુમાં કહ્યું કે તેઓ આર્થિક રીતે નબળા લોકોને મદદ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાનની સમીર વાનખેડેની સાથે એનસીઓ વર્કસે પણ કાઉન્સેલિંગ કર્યુ હતુ.
એનસીબીએ દરોડામાં આર્યન ખાનને પકડ્યો
ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરની રાત્રે મુંબઈમાં ક્રૂઝ પર થઈ રહેલી ડ્રગ્સ પાર્ટીમાં એનસીબીએ દરોડામાં આર્યન ખાનને પકડ્યો હતો. આર્યનની સાથે અન્ય લોકો પણ પકડાયા હતા. ત્યારબાદ આર્યન ખાન સહિત દરેક આરોપીઓને એનસીબીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં હતા. કોર્ટે બાદમાં બધાને 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. જોકે, અત્યારે આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ છે.