આર્યન ખાનને 25 દિવસ બાદ જામીન મળી ગયા છે. મુકુલ રોહતગીએ આર્યનને જામીન અપાવી દીધા છે. તેની સાથે મુનમુન ધામેચા અને અરબાઝ ખાનને પણ જામીન મળ્યા છે.
આર્યનને મળી ગયા જામીન
શાહરુખ-ગૌરીની મન્નત થઇ પૂરી
મુકુલ રોહતગીએ આપ્યું નિવેદન
સતીષ માનશિંદેએ આપ્યું નિવેદન
આર્યની પહેલી વાર જામીન ફાઇલ કરી ચૂકેલા વકીલ સતિષ માનશિંદેએ કહ્યું કે, ભગવાન આપણા સૌનો છે. દરેકને સમય આવે તેનો ન્યાય મળી જતો હોય છે. હવે ફાઇનલી આર્યનને જામીન મળ્યા છે ત્યારે શાહરુખ ખાન અને ગૌરીને રાહત થઇ હશે.
મુકુલ રોહતગીએ આપ્યું નિવેદન
મુકુલ રોહતગીએ કહ્યું કે ડિટેઇલ્ડ ઓર્ડર આવતીકાલે મળશે અને આર્યન, મુનમુન અને અરબાઝને જામીન આપી દીધા છે. કાલ કે પરમદિવસે ત્રણેય જેલની બહાર આવી જશે. NCB અને આર્યનના વકીલ બંનેએ દલીલ કરી અને ફાઇનલી આર્યનને જામીન મળી ગયા છે.
દિકરો ઘરે ન આવે ત્યાં સુધી માતા ગૌરીએ ગળ્યું ખાવાની બાધા લીધી હતી
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર તારીખ પે તારીખ થઈ રહી હતી. આવામાં આર્યનને ક્યારે જામીન મળશે તેની કોઈ આશા દેખાતી ન હતી. ખાન પરિવારના મિત્રે નામ ના છાપવાની શરતે કહ્યું હતું કે શાહરુખ-ગૌરી દિવસે દિવસે ચિંતાતુર બનતા જાય છે. ગૌરીએ આર્યન માટે માનતા પણ માની હતી. તે નવરાત્રિમાં સતત પ્રાર્થના કરતી. તહેવાર શરૂ થયા બાદથી તે ત્યાં સુધી ગળપણ તથા ખાંડ નહીં ખાય જ્યાં સુધી આર્યન જેલમાંથી બહાર નહીં આવે. ગૌરીએ ઘરમાં પણ કિચન સ્ટાફને કોઈ મીઠાઈ નહીં બનાવવાનો આદેશ આપ્યો હતો.
NCBના વકીલનો મોટો આરોપ- આર્યનખાન ડ્રગ્સનો કારોબાર કરી રહ્યો છે
એનસીબીના વકીલ એએસજી અનિલ સિંહે હાઈકોર્ટમાં દલીલ દરમિયાન કહ્યું છે કે આર્યન ખાન ઘણા વર્ષોથી ડ્રગ્સ લે છે અને પેડલર સાથે પણ તેનું કનેક્શન છે. અનિલ સિંહનું કહેવું છે કે આર્યનની ચેટથી ખબર પડી કે તે ડ્રગ્સનો વ્યવહાર કરી રહ્યો હતો.