ડ્ર્ગ્સ કેસમાં આર્યન ખાનને ક્લીનચિટ મળી ગઈ છે. આ કેસની તપાસ વખતે અભિનેત્રી અનન્યા પાંડેની પુછપરછ કરવામાં આવી હતી. એનસીબીને આપેલા અનન્યા પાંડેના નિવેદન સામે આવી રહ્યા છે.
NCBએ આર્યન ખાનને ક્લીન ચીટ આપી
ચાર્જશીટમાં અનન્યા પાંડેના નિવેદનનો ઉલ્લેખ
જાણો શું છે સમગ્ર મામલો
મુંબઈમાં ચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કિંગ ખાનના દિકરા આર્યન ખાનને એક મોટી રાહત મળી છે. NCBએ તેને ક્લીન ચીટ આપી દીધી છે. ચાર્જશીટમાં તેના વિરૂદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા. સાથે જ એવું પણ સાબિત નથી થયું કે આર્યને અન્ય આરોપીઓ સાથે ષડયંત્ર કર્યું હોય.
ત્યાં જ ચાર્જશીટમાં અભિનેત્રી અનન્યા પાંડેના નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં અનન્યા પાંડેએ એનસીબીને જણાવ્યું કે આર્યન અને તેમના વચ્ચે મોબાઈલ ચેટ પર 'Weed Procurement'ની વાત ફક્ત મજાક હતી.
જોકે આરોપ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે આર્યને અભિનેત્રી અનન્યા પાંડેની સાથે Weed ખરીદવાના સંબંધમાં પોતાની વાતચીતની વાત સ્વીકારી હતી. પરંતુ અનન્યા પાંડેએ આ ચેટને ફક્ત મજાક ગણાવી હતી. અનન્યા પાંડેએ જણાવ્યું કે આર્યન ખોટુ બોલી રહ્યો છે કે અને તે સંપૂર્ણ રીતે અજાણ છે.
14 લોકોના વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યો
NCBએ શુક્રવારે મુંબઈની એક કોર્ટમાં 20માંથી 14 લોકો વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કર્યો છે. તેમણે ગયા ઓક્ટોબરમાં એક ક્રૂઝ જહાજ પર છાપામારી અને ડ્રગ્સની કથિત જપ્તી બાદ મામલામાં ધરપકડ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે પુરાવાઓના અભાવમાં આર્યન ખાન સહિત છનું નામ ચાર્જશીટમાં નથી.
આર્યન માટે ન હતું ડ્રગ્સ
આ કેસ સાથે જોડાયેલા એક્ટર અરબાઝ મર્ચન્ટના નિવેદન અનુસાર આર્યન ખાને તેને કહ્યું હતું કે ક્રૂઝ પર ડ્રગ્સ ન લે. કારણ કે NCB અહીં એક્ટિવ છે. તેમ છતાં અરબાઝ શૂઝમાં થોડો ગાંજો લઈને આવ્યો હતો. જોકે મર્ચન્ટે ક્યારેય એવો દાવો નથી કર્યો કે તેના કબ્જામાંથી મળી આવેલું 6ગ્રામ ચરસ આર્યન દ્વારા લેવામાં આવ્યું હતું. આર્યને પણ પોતાના સ્વૈચ્છિક નિવેદનમાં સ્વીકાર નથી કર્યો કે મળી આવેલું ડ્રગ્સ તેના માટે હતું. હવે સવાલ એ ઉઠે છે કે નિર્દોષ હોવા છતાં આર્યનને જે ઉત્પીડનનો સામનો કરવો પડ્યો તો શું કે કોઈ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે?