આર્યન ખાન કેસનાં સાક્ષી પ્રભાકર સેલનું ગઈકાલે હાર્ટ અટેકનાં કારણે મૃત્યુ થયું છે.
આર્યન ખાન કેસનાં સાક્ષી પ્રભાકર સેલનું નિધન
હાર્ટ એટેક મૃત્યુનું કારણ
સમીર વાનખેડે અને એનસીબી પર લગાવ્યા હતા ગંભીર આરોપ
આર્યન ખાન કેસનાં સાક્ષી પ્રભાકર સેલનું નિધન
આર્યન ખાન કેસમાં NCBનાં સાક્ષી પ્રભાકર સેલનું મૃત્યુ થઇ ગયું છે. જાણકારી અનુસાર, હાર્ટ અટેકને કારણે પ્રભાકરનું મૃત્યુ થયું છે. આર્યન ખાનનાં અરેસ્ટ બાદથી પ્રભાકર સેલ ચર્ચામાં આવ્યા હતા, અને એનસીબી પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
મૃત્યુનું કારણ
કાર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ મામલામાં એનસીબીના પાંચ સાક્ષી પ્રભાકર સેલનું નિધન ગઈકાલે થયું છે. તેમના વકીલ તુષાર ખંડારે અનુસાર, ગઈકાલે ચેમ્બુરનાં માહુલ ઇલાકામાં જેલમાં હાર્ટ અટેક આવવાથી તેમનું મૃત્યુ થયું છે.
Mumbai | NCB's panch witness in Cordelia cruise drug case, Prabhakar Sail died yesterday. As per his lawyer Tushar Khandare, he died of a heart attack at his residence in Mahul area of Chembur yesterday.
કોણ છે પ્રભાકર સેલ?
સ્વતંત્ર સાક્ષી, પ્રભાકાર સેલનો દાવો હતો કે તેઓ કેપી ગોસાવીનાં પર્સનલ બોડીગાર્ડ હતા, જેની આર્યન ખાન સાથે સેલ્ફી વાયરલ થઇ હતી. સેલના એફિડેવિટમાં એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર આરોપ લાગ્યા હતા. સેલએ એફિડેવિટમાં દાવો કર્યો હતો કે વાનખેડે મામલામાં સ્વતંત્ર સાક્ષી આરોપિઓ પાસેથી પૈસા વસૂલ કરવાની કોશિશ કરી રહ્યા હતા.