આર્યન ખાન કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આર્યનની જામીનની અરજી ફગાવી દીધી છે. કોર્ટે આર્યન સહિત 3 આરોપીની અરજી ફગાવી દીધી છે.
આર્યન ખાનની જામીન અરજી રિજેક્ટ
હાઇકોર્ટમાં જશે આર્યનનો વકીલ
કેેમ નથી મળી રહી આર્યનને બેલ?
આર્યનની જામીન રિજેક્ટ
આર્યન ખાનના જામીન અરજી ફરી એકવાર રિજેક્ટ કરી દેવામાં આવી છે. શા કારણથી આર્યનને જામીન નથી આપવામાં આવી રહી છે તેને લઇને સવાલ ઉઠી રહ્યાં છે.
હાઇકોર્ટમાં કરવામાં આવશે અપીલ
આર્યન ખાનના વકીલે કહ્યું છે કે હવે તે મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરશે અને ત્યાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરશે. કેમ તેને જામીન નથી મળી રહ્યાં તેને લઇને કોઇ કારણ સામે આવ્યું નથી.
Drugs on cruise ship case | Mumbai’s Special NDPS Court rejects bail applications of Aryan Khan, Arbaaz Merchant and Munmun Dhamecha pic.twitter.com/Zww2mANkUB
BJP નેતા આવ્યા સપોર્ટમાં
ભાજપના ધારાસભ્ય રામ કદમે ટ્વિટ કરીને લખ્યું કે, પ્રાર્થના છે કે આજે આર્યનને જામીન મળી જાય. સંવિધાન અને કાયદા હેઠળ જામીન મળવી તે એક મૂળભુત અધિકાર છે. આ કોઇ એક વ્યક્તિ વિશેષ વિરુદ્ધની લડાઇ નછી. માનતજાતિની ડ્રગ્સ વિરુદ્ધની લડાઇ છે. સાથે તેમણે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન પણ સાધ્યું છે.
માતા પિતા આર્યનના લીધે ચિંતામાં
ગૌરી ખાને તેના સ્ટાફને તેમના ભવ્ય બંગલામાં સૂચના આપી છે, જ્યાં સુધી આર્યન ઘરે પાછો નહીં આવે ત્યાં સુધી કોઈ મીઠાઈ બનાવવામાં આવશે નહીં. બન્યું એવું કે સ્ટાફનો એક સભ્ય રસોડામાં ખીર રાંધતો હતો ત્યારે ગૌરીએ તે જોયું અને તરત જ તેને અટકાવી દીધો. ત્યારબાદ તેણે તેમના સ્ટાફના તમામ સભ્યોને સૂચના આપી હતી કે જ્યાં સુધી આર્યન જેલમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કોઈ મીઠી વાનગી ન બનાવો.
બીજી તરફ કિંગ ખાને તેમના મિત્રો અને સાથીદારોને પણ વિનંતી કરી છે કે તેઓ આ મુશ્કેલ સમયમાં તેમના ઘરે આવવાનું ટાળે કારણ કે તેઓ ફોન કોલ્સ દ્વારા તેમના સંપર્કમાં છે. આર્યનની ધરપકડથી શાહરૂખ 'લાચાર અને તૂટેલો અનુભવ' થઈ ગયો છે અને તે વધુ ખાતો નથી અને ફક્ત લાચાર પિતાની જેમ તૂટી ગયો છે.'
જાવેદ અખ્તનું સમર્થન
એક પુસ્તક વિમોચન પ્રસંગે બોલતા જાવેદ અખ્તરે જણાવ્યું કે હું કહેવા માગું છું કે એક પોર્ટ (અદાણીના પોર્ટ)ની ઉપર એક બિલિયન ડોલરનું ડ્રગ્સ મળે છે અને એક જગ્યાએ ક્રૂઝ પર 1200 લોકો મળે અને ત્યાં 1.30 લાખનું ચરસ જપ્ત કરાય છે તો ઘણી મોટી નેશનલ ન્યૂઝ બની જાય છે. બિલિયન ડોલર કોકિન અંગે મેં તો હેડલાઈન પણ ન જોઈ. પાંચમા કે છઠ્ઠા પાના પર ન્યૂઝ પર આવી જાય છે. પછી કહેવામાં આવે છે કે અમે આ પોર્ટ પર જહાજ નહીં આવવા દઈએ, અરે પહેલા જે મળ્યું છે તેની તો વાતો કરો.