આર્યન ખાન ડ્રગ્સ કેસમાં NCBએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મોટો નિર્ણય
કોર્ટે આર્યન ખાનને લઈને આપ્યો મોટો ચુકાદો
જાણો વધુ વિગતે
શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનની જામીન ફરી એક વખત ટળી ગઈ છે. બુધવારે 13 ઓક્ટોબરે સેન્શર કોર્ટમાં થયેલી સુનાવણીમાં આર્યનને જામીન ન મળી શકી. આર્યનને એક રાત વધુ જેલમાં જ રહેવું પડશે, કોર્ટમાં આર્યનના વકીલ અને એનસીબીની વચ્ચે લાંબી દલીલો થઈ. બાદમાં આર્યનના જામીન પર કોર્ટે પોતાનો નિર્ણય આવતી સુનાવણી સુધી યથાયત રાખ્યો છે.
જામીનની આ સુનાવણી સેશન્સ કોર્ટમાં લગભગ ત્રણ વાગ્યે શરૂ થઈ હતી. ત્યાર બાદ આર્યનનની જામીન પર અનસીબી અને આર્યનના વકીલે દલીલો કરી હતી. આ સુનાવણી શાંજે લગભગ પોણા છ વાગ્યે સુધી ચાલી હતી. મહત્વનું છે કે જે જેલમાં આર્યન ખાન બંધ છે એટલે કે આર્થર રોડ જેલ જ્યાં શાંજે સાડા પાંચ વાગ્યે તે બંધ થઈ જાય છે. જેલના બંધ થવા પર આર્યન ખાનની જામીન જાહેર છે કે ન થઈ શકે. હવે આર્યન ખાનની જામીન પર કોર્ટ 14 ઓક્ટોબરે એટલે કે ગુરૂવારે પોતાનો નિર્ણય સંભળાવશે.
Cruise ship raid case | A Mumbai Court adjourns hearing for tomorrow on bail applications of Aryan Khan, Arbaaz Merchant and Munmun Dhamecha
આર્યનનો કેસ હવે આ વકિલ લડશે
આર્યન ખાનનો કેસ અત્યાર સુધી સતીશ માનશિંદે લડી રહ્યા હતા. પરંતુ હવે શાહરૂખ ખાને સીનિયર એડવોકેટ અમિત દેસાઈને આ કેસ આપ્યો છે. અમિત દેસાઈ 11 ઓક્ટોબરે પણ સતીશ માનશિંદેની સાથે સેશન કોર્ટમાં જોવા મળ્યા હતા. તે આર્યનની જામીન માટે પહોંચ્યા હતા.
NCBએ માંગ્યો હતો 2 દિવસનો સમય
11 ઓક્ટોબરે સેશન કોર્ટમાં આર્યન ખાનની જામીનને લઈને NCBએ બુધવાર સુધીનો સમય માંગ્યો હતો. આર્યનના બન્ને વકિલ અમિત દેસાઈ અને સતીશ માનશિંદે સવારે સાડા દસ વાગ્યાથી કોર્ટ પહોંચી ગયા હતા. પરંતુ NCBનો કેસ લડી રહેલા સ્પેશલ પબ્લિક પ્રોસીક્યુટર AM Chimalkerએ કહ્યું કે તપાસ ચાલી રહી છે તેમને પુરાવા એકત્રીત કરવામાં સમય લાગશે. બહેસ બાદ જજ વીવી પાટિલે એનસીબીને બુધવાર 13 ઓક્ટોબર સવારે 11 વાગ્યા સુધી જવાબ દાખલ કરવાનો સમય આપ્યો હતો. સુનાવણી 2:45એ થશે.