બોમ્બે હાઈકોર્ટે એક મોટી રાહત આપતા આર્યન ખાનને જામીન આપી દીધા છે. આર્યનની ઉપરાંત મુનમુન ધામેચા અને અરબાઝ મરચન્ટને પણ જામીન અપાયા છે. જોકે તેમને આજની રાત જેલમાં વીતાવવી પડશે.
બોમ્બે હાઈકોર્ટ આર્યન ખાન સહિત 3 આરોપીઓને આપી રાહત
હાઈકોર્ટે આર્યનને આપ્યા જામીન
જોકે ઓર્ડરની કોપી ન મળતા આજની રાત જેલમાં જ રહેવું પડશે
કહ્યું આર્યન ખાન ઘણા લાંબા સમયથી ડ્રગ્સના કારોબાર ચલાવી રહ્યો છે
બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપી દીધા છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનને જામીન આપવામાં આવ્યા છે. 2 નવેમ્બર શાહરૂખનો જન્મદિવસ છે. શાહરૂખ પોતાના પુત્ર સાથે પોતાનો જન્મદિવસ ઉજવી શકશે. જોકે, તેઓએ આજે રાત્રે જેલમાં વિતાવવું પડશે. બપોરે ૩ વાગ્યે શરૂ થયેલી બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી બાદ કોર્ટે સાંજે ૪.૪૫ વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આરોપીઓના જામીનનો વિરોધ કરતાં એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) અનિલ સિંહે એનસીબી વતી દલીલ કરી હતી.
મુનમુન ધામીચા અને અરબાઝ મરચન્ટને પણ જામીન મળ્યાં
હાઈકોર્ટે આર્યનની ઉપરાંત મુનમુન ધામીચા અને અરબાઝ મરચન્ટને પણ જામીન આપી દીધા છે. જોકે જોકે કોર્ટમાંથી આદેશની કોપી ન મળવાને કારણે ત્રણેય આજની રાત જેલમાં જ વીતાવવી પડશે. ત્રણેયને શુક્રવાર અથવા શનિવાર સુધીમાં છોડી મૂકવામાં આવશે.
Bombay High Court also grants bail to Arbaz Merchant and Munmum Dhamecha in drugs-on-cruise case
દીકરો ઘરે ન આવે ત્યાં સુધી માતા ગૌરીએ ગળ્યું ખાવાની બાધા લીધી હતી
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર તારીખ પે તારીખ થઈ રહી હતી. આવામાં આર્યનને ક્યારે જામીન મળશે તેની કોઈ આશા દેખાતી ન હતી. ખાન પરિવારના મિત્રે નામ ના છાપવાની શરતે કહ્યું હતું કે શાહરુખ-ગૌરી દિવસે દિવસે ચિંતાતુર બનતા જાય છે. ગૌરીએ આર્યન માટે માનતા પણ માની હતી. તે નવરાત્રિમાં સતત પ્રાર્થના કરતી. તહેવાર શરૂ થયા બાદથી તે ત્યાં સુધી ગળપણ તથા ખાંડ નહીં ખાય જ્યાં સુધી આર્યન જેલમાંથી બહાર નહીં આવે. ગૌરીએ ઘરમાં પણ કિચન સ્ટાફને કોઈ મીઠાઈ નહીં બનાવવાનો આદેશ આપ્યો હતો.
NCBના વકીલનો મોટો આરોપ- આર્યનખાન ડ્રગ્સનો કારોબાર કરી રહ્યો છે
એનસીબીના વકીલ એએસજી અનિલ સિંહે હાઈકોર્ટમાં દલીલ દરમિયાન કહ્યું છે કે આર્યન ખાન ઘણા વર્ષોથી ડ્રગ્સ લે છે અને પેડલર સાથે પણ તેનું કનેક્શન છે. અનિલ સિંહનું કહેવું છે કે આર્યનની ચેટથી ખબર પડી કે તે ડ્રગ્સનો વ્યવહાર કરી રહ્યો હતો.એએસજી અનિલ સિંહે એનસીબીનો બચાવ કરતાં કહ્યું છે કે આર્યન ખાન પહેલી વાર ડ્રગ્સ નથી લઈ રહ્યો. આર્યન ખાન અને તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે.
હાઈકોર્ટે સમીર વાનખેડેને આપી રાહત
NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે બોમ્બે હાઈકોર્ટ તરફથી એક રાહત મળી છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે વાનખેડેની ધરપકડના ત્રણ દિવસ પહેલા તેમને નોટીસ આપવી પડશે.