મુંબઇની સેશન્સ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી રિજેક્ટ કરી દીધી છે. જજ વીવી પાટીલે 18 પાનામાં લખાયેલા આદેશમાં કહ્યું કે, પહેલી નજરમાં જોઇને જ ખબર પડે છે કે આર્યન વિરુદ્ધ પુરાવા છે.
આર્યનને આ 5 કારણોથી ન મળ્યા જામીન
અરબાઝ અને આર્યનની મિત્રતા પર સવાલ
સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી
કારણ-1
કોર્ટે કહ્યું, આર્યન અને અરબાઝ ઘણા લાંબા સમયથી મિત્રો છે. તેઓ એક સાથે જઇ રહ્યાં હતા અને તેમને ક્રુઝ પર સાથે પકડ્યાં છે. બંનેએ પોતાના નિવેદનમાં ડ્રગ્સ લેવાની વાત કબૂલ કરી છે. તેનાથી ખબર પડે છે કે આર્યનને ખબર હતી કે જૂતામાં ડ્રગ્સ છે.
આર્યનના વકીલોએ દલીલ આપી કે આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી માટે તે નશામાં નહોતો. તેના પર કોર્ટે કહ્યું આરોપી નંબર 1 (આર્યન) પાસે ભલે કોઇ પ્રતિબંધિત પદાર્થ નહોતું પરંતુ આરોપી નંબર-2 (અરબાઝ) પાસેથી 6 ગ્રામ ચરસ મળી હતી. માટે એવું કહી શકાય કે બંનેને આ વાતની જાણ હતી.
કારણ-3
જજ વીવી પાટીલે કહ્યું, વૉટ્સઍપ ચૅટ વાંચ્યા બાદ જાણ થઇ કે આરોપી નં-1 કેટલાક વ્યક્તિઓ સાથે ડ્રગ્સને લઇને વાત કરી રહ્યો હતો. તેના પરથી લાગે છે કે આરોપી નં-1 અજ્ઞાત વ્યક્તિઓ સાથે નાર્કોટિક્સ પદાર્થની ડીલ કરતો હતો.
કારણ-4
તેમણે કહ્યું, આરોપી-1ની આરોપી-2 સાથે પણ ચૅટ સામે આવી છે. તે સિવાય આરોપી નં1થી 8 સુધીના લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તે દરેક પાસેથી કંઇક ને કંઇક મળી આવ્યું છે. આ કેસમાં ધારા 29 લાગૂ થાય છે.
કારણ-5
જજ પાટિલે કહ્યું કે, આ કેસ તેવો જ છે જેવો રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકનો હતો. શોવિકની વૉટ્સઍપ ચેટથી સામે આવ્યું હતું કે તે ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં છે. વૉટ્સઍપ ચૅટથી એવું લાગી રહ્યું છે કે આરોપી કોઇ ષડયંત્રનો હિસ્સો છે. આર્યનનો કેસ પણ શોવિકના કેસ જેવો જ છે.