ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયુ છે.
જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન
ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર હતા
અનેક નાટક, સિરીયલ, ફિલ્મમાં કર્યુ છે કામ
તે પોતાની આગવી શૈલી અને બોલવાના અંદાજના કારણે ઘર ઘરમાં જાણીતા થયા હતા.
બાળપણમાં તેમના પિતા દરજી કામ કરતા હતા અને અરવિંદે પણ કપડાનું કટિંગ અને ઇસ્ત્રી જેવા કામ કર્યા હતા. એક્ટિંગનો શોખ બાળપણથી હતો એટલે સ્કૂલમાં નાટકોમાં ભાગ લે. પિતાજીને અરવિંદનું આ કામ પસંદ નહોતુ માટે તે મારતા પણ હતા પરંતુ તેમણે એક્ટિંગનો હાથ ક્યારેય ન છોડ્યો.