અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ફરી ગુજરાત પ્રવાસ, ભાવનગર, મહેસાણા અને ડીસામાં સભાને સંબોધિત કરશે
અરવિંદ કેજરીવાલ ફરીવાર ગુજરાતના પ્રવાસે
કેજરીવાલ અને માન ભાવનગરમાં સભાને સંબોઘિત કરશે
કેજરીવાલ અને માન મહેસાણા અને ડીસામાં સભાને સંબોધશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. ત્યારે દરેક રાજકીય પક્ષો પોતપોતાની રીતે તૈયારીમાં જોતરાઇ ગયા છે. તમામ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરી દેવાયામાં આવ્યા છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંના દિલ્હીના નેતાઓના આંટા ફેરાનો પણ દોર પણ શરૂ થઈ ગયો છે.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયાજક અરવિંદ કેજરીવાલ ફરી વાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને તેઓ આજે ભાવનગરમાં સભાને પણ સભાને સંબોધિત પણ કરશે. અરવિંદ કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ભાવનગરના પ્રવાસે છે.
અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ગુજરાતમાં આંટા ફેરા શરૂ થઈ ગયા છે. કેજરીવાલ આજે અને આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે જેમાં ભાવનગર, મહેસાણા અને ડીસાનો પ્રવાસ કરશે અને જનસભાને સંબોધશે. આજે કેજરીવાલ ભાવનગરમાં સભાને સંબોધિત કરશે.
અરવિંદ કેજરીવાલે અગાઉ પણ કર્યા હતા વાયદાઓ
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે અગાઉ ચૂંટણીલક્ષી જીત હાંસલ કરવા ગુજરાતની જનતાને અનેક મોટા વાયદાઓ કર્યા હતા. જેમાં અરવિંદ કેજરીવાલે સુરતમાં દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સસ્તી વીજળી અંગે જાહેરાત કરતા કરી હતી તેમજ 3 મહિનાની અંદર દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે તેવું પણ કહ્યું હતું. અરવિંદ કેજરીવાલે અગાઉ સભામાં અનેક ગેરંટીઓ આપી છે આ વખતે ફરી નવી ગંરટી આપે તે જોવું રહ્યું.