અરવિંદ કેજરીવાલનો ગઠબંધનને લઈ નિવેદન; દિલ્હીમાં 49 દિવસના કારણે લોકોએ અમને 67 સીટો આપી છે
અરવિંદ કેજરીવાલનો ગઠબંધનને લઈ નિવેદન
"પ્રાર્થના કરો કે અમારી સરકાર અમારા દમ પર બને"
"દિલ્હીમાં 49 દિવસના કારણે લોકોએ 67 સીટો આપી છે"
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે સાથ આમ આદમી પાર્ટી પણ પૂરો દમ મારી રહી છે. ક્યાં પક્ષની સરકાર બનશે અને કોણ વિપક્ષ રહેશે તે તો 8 ડિસેમ્બરે જ ખબર પડશે પરંતુ અત્યારે તો તમામ પાર્ટીઓ પોત પોતાની જીત વ્યક્ત કરી રહ્યાં છે. સરવેના આંકડા એક વખત ફરી ભાજપની સરકાર બનશે તેવું બતાવી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એવું દાવો કરી રહી છે કે, તેમની સરકાર બનવાની છે.
"દિલ્હીમાં ગઠબંધન જનતાની ઈચ્છાના કારણે થયું હતું"
આ બધી રાજકીય અટકળો વચ્ચે એવી પણ ચર્ચોઓ ચાલી રહી છે કે, કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટી તોડશે. આ બધી અટકળો વચ્ચે એક સવાલ અવો પણ ઉભો થઈ રહ્યો છે કે, જો ગુજરાતમાં ભાજપને સ્પસ્ટ બહુમતી ન મળે તો શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી સરકાર બનાવશે? દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિદ કેજરીવાલે એક ઈન્ટરવ્યુંમાં આ સવાલનો જવાબ આપ્યું હતું અને દિલ્હીમાં કોંગ્રેસની સાથે પહેલીવાર સરકાર બનાવવા નિર્ણયમાં જવાબ આપ્યો હતો અને કહ્યું હતું આ બધુ જનતાની ઈચ્છાના કારણે એવું કર્યું હતું.
"અમારી સરકાર અમારા દમ પર બને"
એક મીડિયા ઈન્ટરવ્યુંમાં સવાલ કરાયો હતો શું જરૂર પડી હતી કોંગ્રેસ સાથે સરકાર બનાવવાની શું જરૂર પડી હતી? તેમણે જવાબમાં જણાવ્યુ હતું કે, તમે અત્યારે શુભ શુભ બોલો, પ્રાર્થના કરો કે અમારી સરકાર અમારા દમ પર બને. કસમ ખાધા પછી કોંગ્રેસ સરકાર બનાવવાના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું મે જમતા ને પૂછ્યો હતો, હું તો કોંગ્રેસ સાથે જરા પણ જવા માગતો ન હતો પરંતુ દિલ્હીની ગલી મહોલ્લામાં જઈ ફર્યો અને બેઠકો કરી ત્યારે લોકોએ કહ્યું હતુ કે સરકાર બનાવી લો અને તમારા એજન્ડા પૂરા કરી દો.
"નાયક ફિલ્મની સ્ટાઈલ"
કેજરીવાલે વધુમાં કહ્યું કે 49 દિવસની સરકાર હતી સરકાર બનતાની સાથે જ તેઓએ વીજળીના બિલ માફ કરી દીધા હતા સમગ્ર દિલ્હીમાં પાણીનું બિલ માફ કરવામાં આવ્યું હતું ભ્રષ્ટાચારનો અંત લાવ્યો છે તેમણે કહ્યું હતું લોકો કહેતા હતા કે આ અનિલ કપૂરની નાયક ફિલ્મની સ્ટાઈલ છે. તેમણે કહ્યું કે, 49 દિવસના કારણે લોકોએ અમને 67 સીટો આપી છે.