દિલ્હીમાં કોરોના ઇન્ફેક્શનની ગતિ વધી રહી છે, જે સ્થિતિને વધુ વિકટ બનાવી રહી છે.
દિલ્હીમાં ચાલુ છે ઓક્સિજન સંકટ
સતત સાત દિવસથી નથી આવી રહ્યો અંત
કેજરીવાલ સરકાર મદદ માટે વિનવી રહી છે
હાલમાં રાજધાનીમાં કોરોનાથી તમામ મોરચા પર સ્થિતિ ખૂબ જ ગંભીર ગણાવાઈ રહી છે, હોસ્પિટલ બેડ, ઓક્સિજન, ટેસ્ટ કિટના રીજન્ટ, દવાઓ સહિતની ઘણી સામગ્રીની તંગી વચ્ચે મોટાભાગની હોસ્પિટલોમાં દરરોજ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓક્સિજનની પણ કારમી અછત અનુભવાઈ રહી છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલા દેશભરના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો, હવે તેમણે દેશના મોટા ઉદ્યોગપતિઓ- અંબાણી, ટાટા, બિરલા અને બજાજને પત્ર લખ્યો છે અને દિલ્હી માટે ઓક્સિજન સહાયની માંગ કરી છે.
Chief Minister Arvind Kejriwal writes a letter to the top industrialists of the country, seeking their help in the national capital's Oxygen crisis. His letter reads, 'Please help Delhi government if you have Oxygen and tankers...help us in whatever way you can.'
કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે, 'જો તમારી પાસે ઓક્સિજન અથવા ટેન્કર છે, તો મહેરબાની કરીને દિલ્હી સરકારની મદદ કરો. તમે જે રીતે કરી શકો તે રીતે અમારી સહાય કરો. ' અગાઉ કેજરીવાલે મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો. જેમાં તેણે તેમની પાસેથી રાજધાની માટે ઓક્સિજન માંગ્યું હતું.
અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને ઓક્સિજન લખ્યું હતું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અન્ય તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની પાસે માંગ કરી છે. કેજરીવાલે કહ્યું છે કે જો વધારે ઓક્સિજન હોય તો અન્ય રાજ્યોએ દિલ્હીની માટે તેની જોગવાઈ કરવી જોઈએ. કેજરીવાલે ટ્વીટ કરીને પત્ર લખવાની માહિતી આપી છે. તેમણે ટ્વિટ કર્યું, 'હું બધા મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે જો તેઓ પાસે વધારાની ઓક્સિજન હોય તો દિલ્હીને આપે. જો કે, કેન્દ્ર સરકાર પણ અમને મદદ કરી રહી છે, પરંતુ કોરોનાની તીવ્રતા એટલી છે કે તમામ ઉપલબ્ધ સંસાધનો અપૂરતા સાબિત થઈ રહ્યા છે. '
દિલ્હીમાં સ્થિતિ ભયજનક
શનિવારે પણ દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજન સંકટ ચાલુ રહ્યું. ગંભીર રીતે પીડિત કોરોના દર્દીઓ ઓક્સિજનના અભાવને કારણે પાટનગરની કોઈ પણ હોસ્પિટલમાં સ્થાન મેળવવા માટે અસમર્થ છે. શુક્રવારે રાત્રે દિલ્હીના જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં 20 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. હોસ્પિટલના તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા તમામ 20 દર્દીઓ ઓક્સિજન પર હતા, ઓક્સિજનના અભાવને કારણે અમારે પ્રવાહ ઓછો કરવો પડ્યો હતો.