દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ શપથગ્રહણની તૈયારી કરી લીધી છે. 16 ફેબ્રુઆરીએ કેજરીવાલ પોતાના મંત્રીમંડળની સાથે શપથ લેશે. ગત વખતની જેમ આ વખતે પણ શપથ ગ્રહણ રામલીલા મેદાનમાં યોજાશે. આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીમાં ત્રીજી વાર સરકાર બનાવશે. આપ સંયોજક અરવિંદ કેજરીવાલે તેના માટે બુધવારે તમામ ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક કરી હતી.
દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને 70 માંથી 62 બેઠકો આપી
વેલેન્ટાઇન વીકમાં દિલ્હી વાસીઓએ અરવિંદ કેજરીવાલ પર એટલો પ્રેમ વરસાવ્યો કે વિધાનસભાની 62 બેઠકો તેમના નામે કરી દીધી. સતત ત્રીજી જીમાં આમ આદમી પાર્ટીની બેઠકો 2015ની તુલનામાં માત્ર 5 જ ઓછી રહી. જ્યારે બીજેપી ડબલ ડિઝીટ નંબર પણ ન મેળવી શકી અને 8 બેઠકો પર જ જીતી. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ન ખોલી શકી.
નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીના માત્ર 8 મહીના બાદ આમ આદમી પાર્ટીને આ જીત મળી છે. ગત 2 વર્ષમાં બીજેપીની આગેવાની વાળી એનડીએ 7 રાજ્યોમાં સત્તા ગુમાવી ચૂકી છે.
જુની ટીમ સાથે નવી સરકાર ચલાવશે કેજરીવાલ
16 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ એકવાર ફરી મુખ્યમંત્રી પદના શપથ લેશે. સૂત્રોનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલ પોતાની કેબિનેટમાં કોઇ બદલાવ નહીં કરે. અરવિંદ કેજરીવાલની નવી સરકારમાં તમામ જુના મંત્રી ફરીવાર લેવામાં આવશે. એવામાં અરવિંદ કેજરીવાલ સરકારના જુના તમામ મંત્રી એકવાર ફરી શપથ લઇ શકે છે.
હાર બાદ પણ BJPના ધારાસભ્યે કેજરીવાલને આતંકી બતાવ્યા!
દિલ્હીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ઓપી શર્માએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને આતંકવાદી બતાવ્યા. આ પહેલા પણ બીજેપીના નેતા પરવેશ વર્મા, જાવડેકરે અરવિંદ કેજરીવાલને આતંકવાદી બતાવ્યા હતા. જેના પર બંને પાર્ટીઓમાં ખુબ જ આરોપ-પ્રત્યારોપ થયા હતા. ઓપી શર્મા પૂર્વી દિલ્હીના વિશ્વાસ નગરથી ધારાસભ્ય ચૂંટાઇ આવ્યા છે. શર્માને બીજેપીના દિગ્ગજ નેતા માનવામાં આવે છે.
ઓપી શર્માએ સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું, અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ આદમી છે. તેઓ પાકિસ્તાની સેનાના પ્રવક્તાની ભૂમિકા નિભાવે છે. શર્માએ કહ્યું કે, તેઓ (કેજરીવાલ) ભારતીય સેના પર સવાલ ઉઠાવે છે. ટુકડે-ટુકડે ગેંગનું સમર્થન કરે છે. ખરેખર તો તેમના માટે આતંકવાદી જ સૌથી યોગ્ય શબ્દ રહેશે.